Proud of Gujarat
FeaturedGujaratINDIA

નડિયાદમાં ગણેશજીના પંડાલમાં તાડપત્રી લગાવતા 3 યુવાનોને કરંટ લાગતા 2 ના મોત.

Share

નડિયાદ પશ્ચિમમા ગણેશજીના પંડાલ બાંધવાની કામગીરી કરી રહેલા 3 યુવાનોને વિજ કરંટ લાગ્યો છે. જેમાંથી બે લોકોના કરૂણ મોત થયા છે.

નડિયાદમાં પીજ રોડ પર ગીતાંજલિ ચોકડી પર આવેલ સાર્વજનિક ગણેશજીના પંડાલ બાંધવાની કામગીરી કરી રહ્યા હતા. ત્યારે ઉપરના ભાગમાં તાડપત્રી લગાવતા અચાનક 11 કે.વી નો વાયર માથાના ભાગે અડકી જતાં આ ઘટના બની છે. આમા 3 યુવાનોને શરીરે ગંભીર ઈજાઓ પહોંચી હતી. જેમાં બે યુવાનોના મોત નિપજ્યા છે. હાલ બન્ને યુવકોના મૃતદેહને નડિયાદ સિવિલ હોસ્પિટલમાં પીએમ માટે મોકલવા આવ્યા છે. મરણજનાર અને ઈજાગ્રસ્ત તમામ લોકો મંડપ ડેકોરેશનની કામગીરીના વ્યવસાયમા જોડાયેલા હોવાનું જાણવા મળ્યું છે.

Advertisement

નરેશ ગનવાણી : નડિયાદ


Share

Related posts

એસએમઈ માટે આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડની ગ્રુપ હેલ્થ ઈન્સ્યોરન્સ પ્રોડક્ટ રજૂ કર્યું.

ProudOfGujarat

ભરૂચ : કરે કોઈ ભરે કોઈ..! : બે દિવસ અગાઉ રસ્તા બાબતે વિડીયો વાઇરલ કરનાર જાગૃત નાગરિક પર ખાનગી ટ્રેડર્સનાં માલિકે કર્યો હુમલો…

ProudOfGujarat

સરદાર પટેલ ની સ્મ્રુતિમાં ઉભા કરાયેલ “સ્ટેચ્યુ ઓફ યુનિટી” નાં લોકાર્પણનાં કાર્યક્રમો મતભેદ અને મનભેદ …..

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!