Proud of Gujarat
FeaturedGujaratINDIA

નડિયાદમાં ગણેશજીના પંડાલમાં તાડપત્રી લગાવતા 3 યુવાનોને કરંટ લાગતા 2 ના મોત.

Share

નડિયાદ પશ્ચિમમા ગણેશજીના પંડાલ બાંધવાની કામગીરી કરી રહેલા 3 યુવાનોને વિજ કરંટ લાગ્યો છે. જેમાંથી બે લોકોના કરૂણ મોત થયા છે.

નડિયાદમાં પીજ રોડ પર ગીતાંજલિ ચોકડી પર આવેલ સાર્વજનિક ગણેશજીના પંડાલ બાંધવાની કામગીરી કરી રહ્યા હતા. ત્યારે ઉપરના ભાગમાં તાડપત્રી લગાવતા અચાનક 11 કે.વી નો વાયર માથાના ભાગે અડકી જતાં આ ઘટના બની છે. આમા 3 યુવાનોને શરીરે ગંભીર ઈજાઓ પહોંચી હતી. જેમાં બે યુવાનોના મોત નિપજ્યા છે. હાલ બન્ને યુવકોના મૃતદેહને નડિયાદ સિવિલ હોસ્પિટલમાં પીએમ માટે મોકલવા આવ્યા છે. મરણજનાર અને ઈજાગ્રસ્ત તમામ લોકો મંડપ ડેકોરેશનની કામગીરીના વ્યવસાયમા જોડાયેલા હોવાનું જાણવા મળ્યું છે.

Advertisement

નરેશ ગનવાણી : નડિયાદ


Share

Related posts

ડેડિયાપાડાના MLA ચૈતર વસાવાના ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર

ProudOfGujarat

અંકલેશ્વર- ગુજરાત હાઉસિંગ બોર્ડમાં તસ્કરો બેફામ બન્યા.ત્રણ લાખ ઉપરાંતની ચોરી કરી ચોર ફરાર…

ProudOfGujarat

જોનસન એન્ડ જોનસનની સિંગલ-શોટ રસીને ભારતમાં મળી મંજૂરી, હવે દેશમાં 5 રસી ઉપલબ્ધ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!