Proud of Gujarat
FeaturedGujaratINDIA

નડિયાદમાં ગણેશજીના પંડાલમાં તાડપત્રી લગાવતા 3 યુવાનોને કરંટ લાગતા 2 ના મોત.

Share

નડિયાદ પશ્ચિમમા ગણેશજીના પંડાલ બાંધવાની કામગીરી કરી રહેલા 3 યુવાનોને વિજ કરંટ લાગ્યો છે. જેમાંથી બે લોકોના કરૂણ મોત થયા છે.

નડિયાદમાં પીજ રોડ પર ગીતાંજલિ ચોકડી પર આવેલ સાર્વજનિક ગણેશજીના પંડાલ બાંધવાની કામગીરી કરી રહ્યા હતા. ત્યારે ઉપરના ભાગમાં તાડપત્રી લગાવતા અચાનક 11 કે.વી નો વાયર માથાના ભાગે અડકી જતાં આ ઘટના બની છે. આમા 3 યુવાનોને શરીરે ગંભીર ઈજાઓ પહોંચી હતી. જેમાં બે યુવાનોના મોત નિપજ્યા છે. હાલ બન્ને યુવકોના મૃતદેહને નડિયાદ સિવિલ હોસ્પિટલમાં પીએમ માટે મોકલવા આવ્યા છે. મરણજનાર અને ઈજાગ્રસ્ત તમામ લોકો મંડપ ડેકોરેશનની કામગીરીના વ્યવસાયમા જોડાયેલા હોવાનું જાણવા મળ્યું છે.

Advertisement

નરેશ ગનવાણી : નડિયાદ


Share

Related posts

સુરત : ગ્રામ પંચાયત દ્વારા ગેરકાયદેસર રીતે રૂપિયા ઉઘરાણી કરતા વિવાદ વકર્યો, ગુજરાત પ્રદેશ મહામંત્રી દર્શન નાયકએ સ્થળ મુલાકાત કરી

ProudOfGujarat

ઝઘડિયાના વેલુગામ ગામે ભત્રીજાએ કાકાને ધારીયું મારી ઇજાગ્રસ્ત કરતા ફરિયાદ નોંધાઇ

ProudOfGujarat

ઉમરપાડા કોંગ્રેસ સમિતિ તેમજ ખેડૂતો દ્વારા કૃષિ સુધારા બિલની હોળી કરવામાં આવી…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!