Proud of Gujarat
FeaturedGujaratINDIA

નડિયાદમાં ગણેશજીના પંડાલમાં તાડપત્રી લગાવતા 3 યુવાનોને કરંટ લાગતા 2 ના મોત.

Share

નડિયાદ પશ્ચિમમા ગણેશજીના પંડાલ બાંધવાની કામગીરી કરી રહેલા 3 યુવાનોને વિજ કરંટ લાગ્યો છે. જેમાંથી બે લોકોના કરૂણ મોત થયા છે.

નડિયાદમાં પીજ રોડ પર ગીતાંજલિ ચોકડી પર આવેલ સાર્વજનિક ગણેશજીના પંડાલ બાંધવાની કામગીરી કરી રહ્યા હતા. ત્યારે ઉપરના ભાગમાં તાડપત્રી લગાવતા અચાનક 11 કે.વી નો વાયર માથાના ભાગે અડકી જતાં આ ઘટના બની છે. આમા 3 યુવાનોને શરીરે ગંભીર ઈજાઓ પહોંચી હતી. જેમાં બે યુવાનોના મોત નિપજ્યા છે. હાલ બન્ને યુવકોના મૃતદેહને નડિયાદ સિવિલ હોસ્પિટલમાં પીએમ માટે મોકલવા આવ્યા છે. મરણજનાર અને ઈજાગ્રસ્ત તમામ લોકો મંડપ ડેકોરેશનની કામગીરીના વ્યવસાયમા જોડાયેલા હોવાનું જાણવા મળ્યું છે.

Advertisement

નરેશ ગનવાણી : નડિયાદ


Share

Related posts

નર્મદા જિલ્લામાં કોરોનાનાં વધુ નવા ૨૮ દર્દી કોરોના પોઝિટિવ : કુલ આંક ૨૧૧૮ એ પહોંચ્યો.

ProudOfGujarat

કરજણ તાલુકા શિક્ષક સંઘ દ્વારા પડતર પ્રશ્નો અંગે ધરણા.

ProudOfGujarat

નડિયાદના ગાજીપુર વિસ્તારમાં કાચુ મકાન ધરાશાયી, જાનહાનિ ટળી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!