Proud of Gujarat
FeaturedGujaratINDIA

પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવના ઉપક્રમે નેત્રંગ પંથકમાં ઘરે ઘરે જઇને પારિવારિક શાંતિ અને એકતાનો સંદેશ આપ્યો.

Share

પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ આ અભિયાન અંતર્ગત બી.એ.પી.એસ સ્વામિનારાયણ સંસ્થાના સ્વયંસેવકોએ ઘરોમાં નિ:સ્વાર્થ ભાવે ઘુમીને પારિવારિક શાંતિના અમૃત ધુંટાવ્યાં લોકસેવામાં સદા પ્રવૃત્ત BAPS સ્વામિનારાયણ સંસ્થા દ્વારા તાજેતરમાં સતત અઢી મહિના સુધી પ્રમુખસ્વામી મહારાજના શતાબ્દી મહોત્સવના ઉપક્રમે એક વિશિષ્ટ સામાજિક અભિયાન ‘પારિવારિક શાંતિ અભિયાન -૨૦૨૨’ હાથ ધરવામાં આવ્યું છે.

આ અભિયાન અંતર્ગત નેત્રંગ ટાઉનના વિવિધ વિસ્તારોમાં પ.પૂ. પ્રમુખસ્વામી મહારાજની પ્રતિમાને લઈને ઘરો ઘર ઘૂમીને પારિવારિક શાંતિ અને એકતાનો સંદેશ આપનારા બી.એ.પી.એસ.ના સ્વયંસેવકોને નિસ્વાર્થ ભાવે જોડાયા. સાથે જ આગામી ૨૦/૧૦/૨૦૨૨ થી ૨૬/૧૦/૨૦૨૨ સુધી ઝાડેશ્વર બી.એ.પી.એસ સ્વામિનારાયણ મંદિર ખાતે યોજાનાર જીવન ઉત્કર્ષ મહોત્સવમાં પધારવા આમંત્રણ પણ પાઠવ્યું હતું.

Advertisement

Share

Related posts

ફિટ ઇન્ડિયા” સૂત્રને ચરિતાર્થ કરવાના ઉમદા આશયે રાજપીપલામાં સાયક્લોન યોજાઈ.

ProudOfGujarat

નર્મદામાં જિલ્લાકક્ષાનું અદ્યતન સુવિધાઓ સાથે પુસ્તકાલય ભવન નિર્માણ પામશે.

ProudOfGujarat

ખેડા જિલ્લાના નવનિર્મિત ચકલાસી અને વસો બસ સ્ટેશનનું લોકાર્પણ કરાયું

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!