Proud of Gujarat
GujaratFeaturedINDIA

નડિયાદ : ઠાસરા નજીક કેનાલમાં કાર સાથે ખાબકેલા બે વ્યક્તિઓના ત્રણ દિવસે મૃતદેહ મળ્યા.

Share

ખેડા જિલ્લાના ઠાસરા પંથકમાં આવેલ બાધરપુરા પાસે ઉજ્જૈનથી દર્શન કરી પરત ફરતા રાજકોટ જિલ્લાના ગોંડલના ત્રણ લોકો કાર સાથે મહી કેનાલમાં ખાબક્યા હતાં. આ પૈકી એકનો આબાદ બચાવ થઈ ગયો હતો. જ્યારે અન્ય બે વ્યક્તિઓ કાર સહિત કેનાલમાં ડૂબી લાપતા બન્યા હતા.
બનાવના ત્રીજા દિવસે શનિવાર સવારે અહીયા નજીકથી કારની અંતે બહાર કાઢવામાં આવી હતી. અને આ કારમાંથી બન્ને લોકોના મૃતદેહ અજયપુરી ગોસાઈ અને ભારતીબાપુનો મળી આવ્યો છે. ક્રેનની મદદથી ગાડી અને મૃતદેહને બહાર કાઢવામાં આવ્યા હતા.

બનાવના પગલે નહેર પર લોકોના ટોળેટોળા વળ્યા હતા. બન્નેના મૃતદેહોને પીએમ માટે ઠાસરાની સીએચસી ખાતે ખસેડવામાં આવ્યા છે. સમગ્ર મામલે પોલીસે ગુનો નોધવાની કાર્યવાહી હાથ ધરી છે.

Advertisement

નરેશ ગનવાણી : નડિયાદ


Share

Related posts

હાંસોટ તાલુકા આંગણવાડી સાહોલ ખાતે પ્રિકોશન ડોઝ આપવામાં આવ્યો.

ProudOfGujarat

ગાંધીનગર – રાષ્ટ્રીય રક્ષા શક્તિ યુનિવર્સિટીમાં કંબોડીયાથી આવેલા 2 વિદેશીઓનો કોરોના પોઝિટીવ, સંપર્કમાં આવેલા 17 ક્વોરન્ટાઈન

ProudOfGujarat

અંબાજીના ભાદરવી પૂનમના મેળામાં પાટણ જિલ્લામાંથી 66 સંઘો નોંધાયા, અનેક સંઘોની તૈયારી શરૂ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!