Proud of Gujarat
GujaratFeaturedINDIA

નડિયાદ : ઠાસરા નજીક કેનાલમાં કાર સાથે ખાબકેલા બે વ્યક્તિઓના ત્રણ દિવસે મૃતદેહ મળ્યા.

Share

ખેડા જિલ્લાના ઠાસરા પંથકમાં આવેલ બાધરપુરા પાસે ઉજ્જૈનથી દર્શન કરી પરત ફરતા રાજકોટ જિલ્લાના ગોંડલના ત્રણ લોકો કાર સાથે મહી કેનાલમાં ખાબક્યા હતાં. આ પૈકી એકનો આબાદ બચાવ થઈ ગયો હતો. જ્યારે અન્ય બે વ્યક્તિઓ કાર સહિત કેનાલમાં ડૂબી લાપતા બન્યા હતા.
બનાવના ત્રીજા દિવસે શનિવાર સવારે અહીયા નજીકથી કારની અંતે બહાર કાઢવામાં આવી હતી. અને આ કારમાંથી બન્ને લોકોના મૃતદેહ અજયપુરી ગોસાઈ અને ભારતીબાપુનો મળી આવ્યો છે. ક્રેનની મદદથી ગાડી અને મૃતદેહને બહાર કાઢવામાં આવ્યા હતા.

બનાવના પગલે નહેર પર લોકોના ટોળેટોળા વળ્યા હતા. બન્નેના મૃતદેહોને પીએમ માટે ઠાસરાની સીએચસી ખાતે ખસેડવામાં આવ્યા છે. સમગ્ર મામલે પોલીસે ગુનો નોધવાની કાર્યવાહી હાથ ધરી છે.

Advertisement

નરેશ ગનવાણી : નડિયાદ


Share

Related posts

પાલેજ નજીક અજાણ્યા વાહનની અડફેટે અજાણ્યા ઇસમનું મોત…

ProudOfGujarat

નડિયાદ એક્સપ્રેસ હાઇવે નજીક લોખંડ ભંગાર ભરેલી ટ્રક સહિત રૂ. ૭૨ લાખના મુદ્દામાલની લૂંટ.

ProudOfGujarat

માંગરોળ વિધાનસભાના સંયોજક ભાજપ નેતા દીપક વસાવાને બનાવાયા

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!