Proud of Gujarat
INDIAFeaturedGujarat

નડિયાદમાં પૂર્વ સી.એમ એ ૧૯૪ તપસ્વીઓને પારણા કરાવાયા.

Share

નડીયાદમાં શ્વેતાંબર મૂર્તિપૂજક જૈન સંઘ દ્વારા ધર્મચક્ર તપના પારણાં પર્વોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીની ઉપસ્થિતિમાં પારણાંત્સવ ઉજવાયો હતો.

નડિયાદ પીપલગ રોડ પર આવેલ યોગી ફાર્મમાં ગુરૂવારે જૈનાચાર્ય દર્શનવલ્લભ સુરીશ્વરજી મ.સા ના નિશ્રામાં ૮૨ દિનના ૧૯૪ તપસ્વીઓના પારણાંત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પર્વ પ્રસંગે પૂર્વ મુખ્ય મંત્રી વિજયભાઇ રૂપાણી ઉપસ્થિત રહીને મહારાજ સાહેબના આશીર્વાદ મેળવ્યા બાદ તપસ્વીઓને પારણાં કરાવ્યા હતા. આ પ્રસંગે પૂર્વ મુખ્યમંત્રીએ પ્રાસંગિક પ્રવચન કર્યું હતું. આ કાર્યક્રમમાં જૈન સંઘના અગ્રણી સહિત સંઘના હોદ્દેદારો તેમજ મોટી સંખ્યામાં જૈન સમુદાયના ભાઇઓ-બહેનો ઉપસ્થિત રહ્યા હતા.

નરેશ ગનવાણી : નડિયાદ

Advertisement

Share

Related posts

ભરૂચમાં આજરોજ વધુ 26 કોરોના પોઝીટિવ કેસ નોંધાતા કુલ સંખ્યા 2045 થઈ.

ProudOfGujarat

ભરૂચ શહેરનાં રસ્તાનું યુદ્ધનાં ધોરણે શરૂ થયેલ કામકાજ, નગરપાલિકાનાં દંડક અને કોંગ્રેસનાં સભ્ય હેમેન્દ્ર કોઠીવાલાએ અને અન્ય આગેવાનોએ આપેલ આવેદનપત્રનો પડધો પડયો તેમ જણાઈ રહ્યું છે.

ProudOfGujarat

સરદાર સરોવર ડેમના ૧૫ દરવાજા ૩.૮૦ મીટર ખોલી નર્મદા નદીમાં ૩.૮૭ લાખ ક્યૂસેક પાણી છોડાતાં તંત્ર સતર્ક

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!