Proud of Gujarat
INDIAFeaturedGujarat

ઉમરપાડા અને માંગરોળ તાલુકામાં TSP ૧૦૪ યોજના હેઠળ રૂા.૧.૫૬ કરોડના કામો મંજૂર કરતી રાજય સ૨કા૨.

Share

સુરત જિલ્લાના ઉમરપાડા અને માંગરોળ તાલુકામાં વિકાસના કામો ૧.માંગરોળ તાલુકામાં ડાયાલીસીસ સેન્ટરના કામ માટે રૂા.૩૬ લાખ ૨. વડ ગામે વડગામ થી ખેનાપાટ સુધી રસ્તાનું કામ રૂ।.૨૦ લાખ ૩. ગડકાછ ગામે પુરપ્રોટેકશન વોલનું કામ ૨.૨૦ લાખ ૪, ઉમઝર-મૌઝીહોકડી મુખ્ય રસ્તાથી ખાટીજામણ ફળીયામાં જતા રૂા.૨૦ લાખ ૫.ધામડોદ ગામે આદિવાસી વિસ્તારમાં નવીનગરી આદિવાસી ફળીયાથી ખાડી સુધી ગટર લાઈનનું કામ રૂા.૧૦ લાખ ૬. કોસંબા ગામે રેલ્વે ફાટક પાસે આદિવાસી વિસ્તારમાં જીગ્નેશભાઈ ઈશ્વરભાઈ વસાવા ના ધરે થી આંગણવાડી થી રોડ સુધી સી.સી. રોડનું કામ રૂા.૧૦ લાખ, ૭. આંબાવાડી ગામે કુડી ફળીયામાં સતકૈવલ મંદિરથી ઠાકોરભાઈ જેસીંગભાઈ વસાવા ના ધર તરફ જતા ડામર રસ્તાનું કામ રૂા.૧૦ લાખ ૮. વાંકલ ગામે વે૨ાવી ફળીયામાં કસ્તુરબા કન્યા છાત્રાલયની બાજુમાંથી મેઈન રોડ થી મણીલાલભાઈ પાંચીયા ચૌધરી ના ઘર તરફ જતા સી.સી. રોડનું કામ રૂા.૧૦ લાખ ૯. પાંચઆંબા ગામે આંતરીક રસ્તાનું કામ રૂા.૧૦ લાખ ૧૦. ડોંગરીપાડ ગામે આંતરીક રસ્તાનું કામ રૂ।.૧૦ લાખના વિકાસના કામો મંજુર કરાવવા માટે ચૂંટાયેલા પ્રતિનિધિઓ દ્વારા કામો મંજૂર કરવા રજૂઆતને પગલે પૂર્વ કેબીનેટ મંત્રી ગણપતસિંહ વસાવા એ આ કામગીરીમાં અંગત રસ દાખવી આદિજાતિ વિભાગના કેબીનેટ મંત્રી નરેશભાઈ પટેલ ને રજુનાત કરતા તેઓ તરફથી માંગરોળ અને ઉમરપાડા તાલુકાના ૧૦ કામો માટે રૂા.૧.૫૬ કરોડ ના વિકાસના કામો TSP ૧૦% યોજનામાં મંજુર કરાતા સમગ્ર વિસ્તારમાં ખુશીની લહેર વ્યાપી છે.

આકામો મંજુર થતા માંગરોળ અને ઉમરપાડા તાલુકાના પદાધિકારીઓ તેમજ કાર્યકર્તાઓએ આદિજાતિ વિભાગના કેબીનેટ મંત્રીનરેશભાઈ પટેલનો તવા માન. પૂર્વ કેબીનેટ મંત્રી ગણપતસિંહ વસાવાનો આભાર વ્યકત કર્યો છે.

Advertisement

વિનોદ મૈસુરિયા : વાંકલ


Share

Related posts

અંકલેશ્વરનાં વિવિધ ગરબા મહોત્સવમાં મંત્રી શ્રી ઈશ્વરસિંહ પટેલે આરતીનો લ્હાવો લીધો…

ProudOfGujarat

ધાર્મિક દિવસોમા મંદિર માંથી માતાની મુર્તી ચોરાઈ

ProudOfGujarat

ભરૂચનાં કુખ્યાત બુટલેગર તથા એટ્રોસીટીનાં ગુનામાં વોન્ટેડ આરોપીને ઝડપી પાડતી નેત્રંગ તથા અંકલેશ્વર GIDC પોલીસ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!