Proud of Gujarat
GujaratFeaturedINDIA

અંકલેશ્વર રાજપીપળા રોડ અને દઢાલ ઉછાલી આસપાસના માર્ગોને તાત્કાલિક ધોરણે તંત્ર સુધારે તે માટે જિલ્લા કોંગ્રેસ ઉપ પ્રમુખે કરી રજુઆત.

Share

ભરૂચ જિલ્લામાં વરસાદી માહોલ બાદ ઠેરઠેર કેટલાય સ્થળે રસ્તાઓનું ધોવાણ થયું છે, મસમોટા ખાડા પડવાના કારણે વાહન ચાલકોને વાહન હંકારવામાં પણ મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે, જિલ્લાના અંકલેશ્વરમાં પણ કંઇક આજ પ્રકારની સ્થિતીનું સર્જન થયું છે, જ્યાં કેટલાય એવા વિસ્તારો છે જ્યાં મસમોટા ખાડા અને બિસ્માર માર્ગો આજકાલ લોકો માટે માથાના દુખાવા સમાન અને મુશ્કેલી સમાન બન્યા છે.

આજરોજ ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિના ઉપ પ્રમુખ ગુલામભાઈ સિંધા દ્વારા એક રજૂઆત R&B ના કાર્યપાલક એજીનીયર અને નોટિફાઇડ એરિયા અંકલેશ્વરને કરવામાં આવી હતી, જેમાં તેઓએ માંગ કરી હતી કે O.N.G.C ઓવર બ્રિજ અંકલેશ્વરથી શરૂ થતાં રાજપીપળા રોડ ઉછાલી સુધીના માર્ગો તદ્દન બિસ્માર બન્યા હોય જેને તાત્કાલિક ધોરણે રીપેરીંગ કાર્ય હાથ ધરી સારા કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી.

Advertisement

Share

Related posts

સુરતઃ 15 વર્ષની કિશોરી પર લેબ ટેક્નિશિયને દુષ્કર્મ કર્યાનો આક્ષેપ, યુવકને લોકટોળાએ માર્યો માર

ProudOfGujarat

ભરૂચમાં કોવિડ વેક્સિનેશન મેગા કેમ્પ અંતર્ગત ૨૩,૨૩૮ લાભાર્થીઓનું વેક્સિનેશન કરાયું.

ProudOfGujarat

રાષ્ટ્રીય ‘ગ્રામીણ આજીવિકા મિશન સ્વસહાય જૂથની મહિલાઓની ઉપસ્થિતિમાં ઇન્ડસ્ટ્રીયલ એસોસીએશન હોલ, અંકલેશ્વર ખાતે લખપત દીદી કાર્યક્રમ યોજાયો

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!