Proud of Gujarat
FeaturedGujaratINDIA

નડિયાદ મહેમદાવાદ રોડ ઉપર ગાડીમાં આગ લાગતા અફરાતફરી.

Share

નડિયાદ-મહેમદાવાદ રોડ પર ગોવિંદપુરા પાટિયા પાસે પસાર થતી કારમા આગ લાગવાની ઘટના બની હતી. આગ લાગતાં અહીયા અફરાતફરી મચી ગઇ હતી. કાર ચાલકે કારને રોડની બાજુમાં ઉભી કરી દીધી જેના કારણે ચાલક સહિત કારમાં સવાર લોકોનો આબાદ બચાવ થયો છે. કારમા સવાર અમદાવાદનો પરિવાર નડિયાદ પાસે આવેલા મરીડા મેલડી માતાના મંદિરે દર્શન કરવા આવ્યો હતો. જ્યાંથી પરત જતી વખતે આ ઘટના બની છે.
કારમાં બાળક સાથે ચાર વ્યક્તિઓ સવાર હતા. સી.એન.જી કારમાં શોર્ટ સર્કિટથી આગ લાગ્યું હોવાનું પ્રાથમિક અનુમાન છે. આ આગની જાણ નડિયાદ ફાયર બ્રિગેડની ટીમને થતાં ફાયરબ્રિગેડના કર્મીઓ ઘટના સ્થળે દોડી આવ્યાં હતા અને કારમાં લાગેલ આગ પર પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો. સદનસીબે આ ઘટનામા કોઈ જાનહાની સર્જાઇ નહોતી.

નરેશ ગનવાણી : નડિયાદ

Advertisement

Share

Related posts

મોદીરાજમાં રૂપિયો 22% નબળો થયો, દુનિયાની 6 સૌથી નબળી કરન્સીમાં ભારતનો રૂપિયો સામેલ થયો…

ProudOfGujarat

ભરૂચ નગરપાલિકા દ્વારા જાહેરમાં થૂંકનારા લોકો સામે 2200 રૂપિયા વસૂલ કરીને લોકોને સ્વચ્છતા અંગેનો પાઠ ભણાવ્યો હતો.

ProudOfGujarat

ભરૂચ જિલ્લા યુવા કૉંગ્રેસ ની કારોબારી તેમજ ભરૂચ જિલ્લા એનએસયુઆઈ ના જિલ્લા પ્રમુખ ની વરણી આજ રોજ કરવામાં આવી હતી…..

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!