Proud of Gujarat
GujaratFeaturedINDIA

વડોદરાથી NDRF ની 5 ટીમ મોરબીના મચ્છુ કાંઠે પહોંચી.

Share

મોરબીમાં મચ્છુ કાંઠે જળ દુર્ઘટનાની જાણ થતાં જ વહીવટી તંત્ર સાથે સંકલનમાં રહી વડોદરાthi એન. ડી.આર.એફ. ૫ ટીમો રાત્રે રવાના કરવામાં આવી હતી અને તાલીમબદ્ધ અને કુશળ જવાનોએ વિવિધ પ્રકારની સાધન સુવિધાઓની મદદથી અસરગ્રસ્તોની શોધ અને બચાવની કામગીરી હાથ ધરી હતી. આ ટુકડીઓ સ્થાનિક લોકો અને અન્ય બચાવ દળો સાથે સંકલનમાં રહીને કામગીરી કરી રહી છે.

5 પૈકી બે ટુકડીઓને હવાઈ માર્ગે અને 3 ટુકડીઓ રસ્તા માર્ગે શોધ અને બચાવના સાધનો, રબર બોટ્સ સાથે દુર્ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. આ પહેલા મોરબીમાં સર્જાયેલ દુર્ઘટનામાં રેસ્ક્યુની કામગીરી માટે વડોદરાથી ફાયર બ્રિગેડના 17 જવાનોની ટીમ મોરબી પહોંચી હતી. આ ટીમ પાસે અંડર વોટર જોઈ શકાય તેવા કેમેરા પણ છે. મોરબીમાં ગઈકાલે સાંજે મચ્છુ નદી પર આવેલી ઝૂલતો પુલ તૂટવાની દુર્ઘટના સર્જાઈ હતી. આ દુર્ઘટનામાં 190 લોકોના મોત થયા છે અને અનેક લોકો ઘાયલ થયા છે. આ ઘટના બાદ રાજ્યભરમાંથી ટીમો બચાવ કામગીરી માટે મોરબી પહોંચી છે.

Advertisement

Share

Related posts

ઝઘડિયા તાલુકાના રાણીપુરા ગામે દાંત રોગ નિદાન શિબિર યોજાઇ.

ProudOfGujarat

ભરૂચ ના મુસ્લીમ ચુનારવાડ વિસ્તાર માં છેલ્લા કેટલાય સમય થી પાણી ની સમસ્યા ને લઇ રોષ ભરાયેલા લોકો એ આજ રોજ પાલિકા ખાતે ઢસી જઇ ભારે હોબાળો મચાવ્યો હતો

ProudOfGujarat

ભરૂચ જિલ્લામાં છેલ્લા ૨૪ કલાકમાં અંકલેશ્વર તાલુકામાં સૌથી વધુ ૮૧ મિ.મિ વરસાદ નોંધાયો

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!