Proud of Gujarat
INDIAFeaturedGujarat

વડતાલધામમાં અક્ષરભૂવનના પાયાની પ્રથમ શીલા આચાર્ય મહારાજ હસ્તે પ્રસ્થાપિત કરાઇ.

Share

આજરોજ રૂપિયા બસો કરોડના ખર્ચ નિર્માણ થનાર અલૌકીક અક્ષરભુવનના પાયાની પ્રથમશીલા પ્રસ્થાપિત કરવામાં આવી. ચુનો, રેતી, કપચી અને ક્વોરી ડસ્ટના મિશ્રણ સાથે પાયામાં ત્રણ ફુટનું એક મજબૂત લેયર તૈયાર કરવામાં આવ્યું છે, ત્યારબાદ કાર્તકી સમૈયાની સમાપ્તિ અને ચંદ્ર ગ્રહણની પૂર્ણાહુતિ પ્રસંગે આ જાહેરાત કરવામાં આવી અને તા ૯-૧૧-૨૨ ના રોજ પાયાની પ્રથમશીલા પ્રસ્થાપિત કરવામાં આવી. આચાર્ય શ્રીરાકેશપ્રસાદજી મહારાજ, જ્ઞાનજીવન સ્વામી કુંડળધામ, ચેરમેન દેવપ્રકાશ સ્વામી, મુખ્ય કોઠારી ડો સંત સ્વામી, નૌતમ સ્વામી – બાપુ સ્વામી, ગોવિંદ સ્વામી – મેતપુરવાળા, બાલમુકુંદ સ્વામી – સરધાર વગેરે સંતો, મહેન્દ્રભાઈ વગેરે ટ્રસ્ટીઓ અને દાતાઓના હસ્તે શિલાપૂજન કરવામાં આવેલું.

પૂજન પૂર્વે જ્ઞાનજીવન સ્વામીએ આ મ્યુજીયમના માધ્યમે સ્વામિનારાયણ ભગવાનનું જીવન અને સંદેશ વિશ્વ વ્યાપી બને, એવી ભાવના વ્યક્ત કરીને કહ્યું હતું કે, આ કાર્ય કોણ કરી રહ્યું છે તેના કરતા કેવુ સારૂ થઈ રહ્યું છે, આ ભાવના અતિશય મહત્વની છે. અંતમાં આચાર્ય મહારાજે આશીર્વાદ પાઠવતા કહ્યું હતું કે, આપણા સમયમાં આ કાર્ય થઈ રહ્યું છે, તે આપણું સૌભાગ્ય છે. આપણે તમ મન ધનથી યથાશક્તિ સહયોગ કરીશું.

Advertisement

નરેશ ગનવાણી : નડિયાદ


Share

Related posts

સુરેન્દ્રનગર : લીંબડી ડીવીઝનમાં નવા ડી.વાય.એસ.પી. હાજર થતાં ડી.વાય.એસ.પી. સાહેબનું સન્માન કરવામાં આવ્યું હતું.

ProudOfGujarat

ભરૂચ ને.હા નં. 48 મુલદ ટોલ ટેક્સ પર સ્થાનિક વાહનો પાસેથી ટોલ લેવાનો મામલો : યુથ કોંગ્રેસે જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવ્યું .

ProudOfGujarat

રાજકોટ – સરકારી દવાઓ બારોબાર વેચી દેવાના લાગ્યા આક્ષેપ, ગાંધીનગરથી ટીમ પહોંચી તપાસ માટે

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!