Proud of Gujarat
FeaturedGujaratINDIA

મોરબીના બોરીયા પાટી નજીક કેનાલમાં ડૂબી જતા યુવાનનું મોત.

Share

મોરબી શહેરમાં બોરિયા પાટી નજીક આવેલ કેનાલમાં ડૂબી જતા ૩૯ વર્ષના યુવાનનું મોત થયું હોય જે બનાવ મામલે એ ડીવીઝન પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

મોરબીના કેનાલ રોડ પર કેનાલના પાણીમાં યુવાન ડૂબી ગયાની માહિતી મળતા મોરબી ફાયર ટીમ દોડી ગઈ હતી અને તરવૈયાઓની ટીમે રેસ્ક્યુ ઓપરેશન ચલાવ્યું હતું જોકે યુવાનનો મૃતદેહ જ હાથ લાગ્યો હતો જે બનાવની જાણ થતા મોરબી એ ડીવીઝન પોલીસ ટીમ દોડી ગઈ હતી અને મૃતદેહ પીએમ અર્થે હોસ્પિટલ ખસેડાયો છે.

Advertisement

પોલીસ મથકેથી પ્રાપ્ત વિગતો મુજબ મૃતક શાન્તુલાલ લાલરામ મીણા (ઉ.વ.૩૯) રહે સરતાનપર રોડ વાંકાનેરવાળા હોવાનું જાણવા મળ્યું છે જોકે યુવાને આપઘાતના ઈરાદે કેનાલમાં ઝંપલાવ્યું હતું કે અકસ્માતે પાણીમાં ડૂબી ગયો તે સ્પષ્ટ થયું નથી મોરબી સીટી એ ડીવીઝન પોલીસે બનાવની નોંધ કરી વધુ તપાસ ચલાવી છે.


Share

Related posts

માંગરોળ : વાંકલનું બજાર 31/5/21 સુધી સવારે 8 થી 2 વાગ્યાં સુધી ખુલ્લું રહશે.

ProudOfGujarat

ગુજરાતથી ભાજપના ત્રણેય રાજ્યસભા ઉમેદવારો બિનહરિફ ચૂંટાયા, 20 જુલાઇએ લેશે શપથ

ProudOfGujarat

સ્થાનિક લોકોએ નોકરી (રોજગાર) આપવા મુદ્દે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે આદીવાસીઓનાં ધરણાં. ( વિરોધ પ્રદર્શન )

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!