Proud of Gujarat
FeaturedGujaratINDIA

મોરબીના બોરીયા પાટી નજીક કેનાલમાં ડૂબી જતા યુવાનનું મોત.

Share

મોરબી શહેરમાં બોરિયા પાટી નજીક આવેલ કેનાલમાં ડૂબી જતા ૩૯ વર્ષના યુવાનનું મોત થયું હોય જે બનાવ મામલે એ ડીવીઝન પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

મોરબીના કેનાલ રોડ પર કેનાલના પાણીમાં યુવાન ડૂબી ગયાની માહિતી મળતા મોરબી ફાયર ટીમ દોડી ગઈ હતી અને તરવૈયાઓની ટીમે રેસ્ક્યુ ઓપરેશન ચલાવ્યું હતું જોકે યુવાનનો મૃતદેહ જ હાથ લાગ્યો હતો જે બનાવની જાણ થતા મોરબી એ ડીવીઝન પોલીસ ટીમ દોડી ગઈ હતી અને મૃતદેહ પીએમ અર્થે હોસ્પિટલ ખસેડાયો છે.

Advertisement

પોલીસ મથકેથી પ્રાપ્ત વિગતો મુજબ મૃતક શાન્તુલાલ લાલરામ મીણા (ઉ.વ.૩૯) રહે સરતાનપર રોડ વાંકાનેરવાળા હોવાનું જાણવા મળ્યું છે જોકે યુવાને આપઘાતના ઈરાદે કેનાલમાં ઝંપલાવ્યું હતું કે અકસ્માતે પાણીમાં ડૂબી ગયો તે સ્પષ્ટ થયું નથી મોરબી સીટી એ ડીવીઝન પોલીસે બનાવની નોંધ કરી વધુ તપાસ ચલાવી છે.


Share

Related posts

ઝઘડીયા નજીક નર્મદા કિનારે ડુબેલી હાલતમાં ભરુચના તબીબનો મૃતદેહ મળ્યો.

ProudOfGujarat

અંકલેશ્વર શહેર પોલીસે એક પલ્સર ગાડી તથા ૮ જેટલા મોબાઇલ સાથે એક આરોપીની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી…

ProudOfGujarat

ભરૂચ : સેવા યજ્ઞ સમિતિમાં પુષ્પમ ગ્રુપ દ્વારા ગરીબોને ધાબળાનું વિતરણ કરવામાં આવ્યું…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!