Proud of Gujarat
INDIAFeaturedGujarat

નડિયાદ : આખડોલ ગામની સીમમાં આવેલ નહેરમાં બાળકીને ત્યાજી દેનાર માતાની અટકાયત.

Share

નડિયાદ તાલુકાના આખડોલ ગામની સીમમાં આવેલ ખાલી કેનાલમા ગત તા. ૨૭ મી નવેમ્બરને રોજ એક બિનવારસી બાળકી મળી આવી હતી. આ બનાવ અંગે નડિયાદ પોલીસને જાણ કરવામા આવી હતી. પોલીસે બાળકીનો કબજો લઈ તપાસ હાથ ધરી હતી.

નડિયાદ રૂરલ પોલીસે હાથ ધરેલ તપાસમાં બાળકીની માતાનો પત્તો લાગ્યો છે. પ્રેમી ભુર્ગભમા ઉતરી ગયો જેમાં બાળકીની માતા મંજુલાબેન તે પુનમભાઇ જેણાભાઇ પરમાર નામની વિધવા રહે વડતાલ તાબે દલાપરા જ્ઞાનબાગની પાછળ અટકાયત કરવામાં આવી છે અને તેની પૂછપરછ કરતા તેણીને તેનાજ ગામના પંકજ ઉર્ફે લાલો જયંતીભાઇ પરમાર નાઓ સાથે પ્રેમ સંબંધ હોવાના કારણે ગર્ભ રહેતા ગત ૨૩ મી નવેમ્બરના રોજ વડોદરા ગોત્રી સરકારી હોસ્પિટલ ખાતે બાળકીને જન્મ આપેલ અને તેના પ્રેમી દ્વારા જન્મેલ બાળકીની ઓળખ છુપાવવા માટે આખડોલ મોટી નહેરમાં ત્યજી દેવામાં આવી હોવાની કબૂલાત કરી છે. હાલ મંજુલા બેનની અટકાયત કરવામાં આવી છે જ્યારે તેના પ્રેમી પોલીસ પક્કડથી દૂર છે.

Advertisement

નરેશ ગનવાણી : નડિયાદ


Share

Related posts

ભરૂચ જિલ્લાના આમોદ તાલુકાના કાંકરિયા ગામે હિન્દુ ધર્મમાંથી ગેરકાયદેસર રીતે મુસ્લિમ ધર્મમાં ધર્માંતરણ કરાવવાનાં ષડયંત્ર થયો પર્દાફાશ…

ProudOfGujarat

અંકલેશ્વર-૨૯ વર્ષીય યુવાનનું એક્સિડન્ટમાં કમકમાટીભર્યુ મોત.

ProudOfGujarat

દહેજ ખાતે ગુમશુદા યુવક નું મૃત અવસ્થામાં તળાવમાં મળી આવ્યા બાદ પોલીસે હાથ ધરેલ તપાસ દરમ્યાન એક આરોપી ની અટકાયત કરવામાં આવી હતી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!