Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભગવાન કષ્ટભંજન દેવના દિવ્ય દર્શન : હિમાલયની થીમના સુંદર દ્રશ્યોના દર્શન કરી ભક્તો મંત્રમુગ્ધ થઈ ગયા

Share

શિયાળામાં હાલ કડકડતી ઠંડી પડવાની શરૂઆત થઇ ચુકી છે. તેવામાં બોટાદ જિલ્લામાં આવેલા સાળંગપુર કષ્ટભંજન હનુમાનજી દાદાને અનોખો શણગાર કરવામાં આવ્યો હતો. દાદાને ઠંડી લાગી હોય તેમ રૂ નો શણગાર કરવામાં આવ્યો હતો.

હનુમાન દાદાને ઠંડી લાગી હોય અને રૂ નો શણગાર કરાયો હતો. દાદાની મૂર્તિ તથા આખા ગર્ભગૃહને રૂ થી ભરી દેવામાં આવ્યું હતું. આ રૂ નાં શણગારથી દાદા હિમાલયમાં બિરાજમાન હોય તેવું પ્રતીત થતું હોય તેવું દેખાઈ રહ્યું હતું. દાદાની પ્રતિમાને ગરમ કપડાં પહેરાવવામાં આવ્યા હતા.તો બીજી તરફ અહીં સુંદર લાઈટના કારણે ખૂબ જ સુંદર દ્રશ્યો જોવા મળ્યા હતા જે સૌ કોઈએ મંત્રમુગ્ધ કરનાર હતા. ખૂબ જ સુંદર દ્રશ્ય જોવા મળ્યું હતું. મોટી સંખ્યામાં સારંગપુર ધામ ખાતે દર્શનાર્થીઓ આવતા હોય છે. આજે શનિવારના દિવસે કષ્ટભંજન દેવના દર્શનાર્થે લોકો ચાલીને પણ આવતા હોય છે. દૂર દૂરથી આવતા દર્શનાર્થીઓ ભગવાનના સુંદર ધામના અને આ થીમ જોઈને મંત્રમુગ્ધ થઇ ગયા હતા. દાદાના દર્શન કરી ભક્તોએ ધન્યતા અનુભવી હતી. સાળંગપુર ધામ ખાતે હજારોની સંખ્યામાં ભક્તો દર્શનાર્થે આવતા હોય છે. તેવામાં ભક્તોઓએ વહેલી સવારે દિવ્ય રૂપના દર્શન કર્યા હતા.

Advertisement

Share

Related posts

નર્મદા જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘે જિલ્લા કલેકટરને લેખિત રજુઆત કરી.

ProudOfGujarat

રસીકરણ જ એકમાત્ર ઉપાય :વિલાયત જીઆઈડીસીમાં જુબિલન્ટ દ્વારા તેમના કર્મચારીઓ અને તેમના પરિવારનું વેક્સિનેશન કરાયુ..

ProudOfGujarat

ભરૂચમાં વરસાદી માહોલ વચ્ચે નર્મદા મૈયા બ્રિજ પર અકસ્માતોનો સિલસિલો યથાવત, ટ્રિપલ અકસ્માતમા એક વ્યક્તિનું મોત

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!