Proud of Gujarat
FeaturedGujaratINDIA

કચ્છના ખાવડા નજીક મોટી દુર્ઘટના બની,શીલા ઘસી પડતાં લોકો ફસાયા

Share

કચ્છના ખાવડા નજીક આવેલા પૈયા ગામ પાસે મોટી દુર્ઘટના બની હતી. ખોદકામ દરમિયાન મોટી શીલા ઘસી પડવાને કારણે લોકો ફસાયા હોવાની વાત સામે આવી રહી છે. આ બનતા સ્થાનિક પોલીસને જાણ કરવામાં આવી હતી અને ફાયર બ્રિગેડનો કાફલો પણ ઘટના સ્થળ પર દોડી આવ્યો હતો. આ ઘટનામાં હીટાચી, ટ્રેક્ટર સાહિત ખોદકામના સાધનો દબાત કચ્ચરઘાણ નીકળી ગયો છે. આ કાટમાળ હટાવવાની કામગીરી હાલ પ્રશાસન દ્વારા પૂરજોશમાં ચલાવવામાં આવી રહી છે. આ ઉપરાંત આ સમગ્ર બનાવ સીસીટીવી કેમેરામાં પણ કેદ થયો છે.

હજુ સુધી કોઈ ચોક્કસ આંકડો સામે આવ્યો નથી પરંતુ ફાઇટરની ટીમ દ્વાર કામગીરી શરૂ છે તેમની તપાસ બાદ અંહી અને સમગ્ર કારણ સામે આવી શકે છે. પોલીસ દ્વારા પણ માહિતી એકત્રિત કરવા માટે કામગીરી પૂર જોશમાં કરવામાં આવી રહી છે તંત્ર પણ કામગીરીમાં જોડાયું હતું. આ ઘટનાને પગલે સમગ્ર પંથકમાં ખળભળાટ મચી જવા પામ્યો છે.

Advertisement

Share

Related posts

અખાત્રીજ પહેલાં ભરૂચ જિલ્લામાં ચેતવણી : બાળલગ્ન કરશો તો કડક કાર્યવાહી, ૨ વર્ષની જેલ અને ₹૧ લાખ દંડ

ProudOfGujarat

ભારતીય ટ્રાયબલ પાર્ટી”ને ઓડિટ હિસાબો અને ચૂંટણી ખર્ચના હિસાબો સમયસર જમા ન કરાવવા બદલ જિલ્લા કલેક્ટરનું તેડું: ૧૪ ઓક્ટોબરે રૂબરૂ હાજર રહેવા આદેશ

ProudOfGujarat

દેવાળુંઃ સામી દિવાળીએ સુરતના હીરાબજારમાં 3 શેઠિયાઓનું 100 કરોડમાં ઉઠમણું

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!