Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વર : નેશનલ હાઇવે ઉપર તિરંગા હોટલ નજીક સરકારી એસ.ટી બસને અકસ્માત નડયો.

Share

ભરૂચ જિલ્લાના નેશનલ હાઇવે ૪૮ વિસ્તારમાં અકસ્માતની ઘટનાઓમાં દિન પ્રતિદિન વધારો નોંધાઈ રહ્યો છે, ખાસ કરી ભરૂચના પાલેજથી અંકલેશ્વરના પાનોલી સુધીના વિસ્તારમાં અનેક સ્થળે છાશવારે અકસ્માતના બનાવો બની રહ્યા છે, જેમાં અનેક લોકો ઇજાગ્રસ્ત તો અનેક લોકો મોતને પણ ભેટી રહ્યા છે, તેવામાં વધુ એક ઘટના સામે આવી છે.

અંકલેશ્વરના નેશનલ હાઇવે ૪૮ ઉપર આવેલ તિરંગા હોટલ નજીક પાસે આજે સવારે એક સરકારી એસ.ટી બસના ચાલકે સ્ટેરિંગ પરનો કાબૂ ગુમાવતા એસ.ટી બસ રસ્તા ઉપરથી સાઇડ પર ઉતરી જતા અકસ્માત સર્જાયો હતો, સર્જાયેલ અકસ્માતની ઘટનામાં બસમાં સવાર અનેક મુસાફર પેસેન્જરોને નાની-મોટી ઇજાઓ પહોંચી હતી.

Advertisement

અકસ્માતના પગલે એક સમયે હાઇવે વિસ્તારમાં ટ્રાફિક જામના પણ દ્રશ્યો સર્જાયા હતા કે બાદ પોલીસે સ્થળ દોડી જઈ બસને ક્રેનની મદદથી બહાર કાઢવાની તજવીજ હાથધરી ટ્રાફિકને ખુલ્લો મૂકવાની કામગીરી હાથધરી હતી.

હારુન પટેલ : ભરુચ


Share

Related posts

માંગરોળના વેલાછા ખાતે મંત્રી ગણપતસિંહ વસાવાનાં અધ્યક્ષસ્થાને કારોબારી બેઠક યોજાઇ.

ProudOfGujarat

ઝઘડિયાના રાજપારડી ગામે હાઇવા ટ્રકની ટકકરે મોટરસાયકલ ચાલકનું સ્થળ પર કરુણ મોત

ProudOfGujarat

દહેજની શ્વેતાયન કેમિકલ્સમાં આગ, એક કર્મી દાઝેલી હાલતમાં બહાર દોડી આવ્યો

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!