Proud of Gujarat
FeaturedGujaratINDIA

નવસારીના ચીખલી હાઇવે પર અકસ્માતમાં 4 વ્યક્તિના મોત

Share

નવસારીના ચીખલી નજીક હાઇવે પર એક કાર અને ટ્રક વચ્ચે ભયંકર અકસ્માતના સમાચાર મળી રહ્યા છે. બંને વચ્ચે અકસ્માત થતા કારમાં સવાર ચાર લોકોનુ ઘટના સ્થળે જ મોત થયું હતુ. અકસ્માત થયેલી કાર ઈનોવા હોવાની માહિતી મળી રહી છે. ઉપરાંત આ અકસ્માતમાં અન્ય બે લોકો પણ ગંભીર રીતે ઘાયલ થયા હતા. બંને ઘાયલ થયેલા વ્યક્તિઓને તરત જ સારવાર અર્થે સુરતમાં હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે.

ભૂતકાળમાં પણ આ હાઇવે પર અનેક જીવલેણ અકસ્માતો થતા રહ્યાં છે. ભૂતકાળમાં પણ આમરી ગામના રહીશોએ આ રસ્તા પર ભારેવાહનોની સતત અવર જવરને લઇને અનેક રજૂઆતો કરી હતી. છતાં હવે એ જોવાનુ રહ્યું કે, આવા ગંભીર અકસ્માતો પછી પણ શું પોલીસ તંત્ર જાગશે ખરુ ? કે આવા ગંભીર અકસ્માતોનો સીલસીલો સતત ચાલતો જ રહેશે?

Advertisement

Share

Related posts

અંકલેશ્વર નેશનલ હાઈવે ઉપર બે મોટર સાયકલ વચ્ચે અકસ્માત સર્જાતા બંને બાઈક સવાર ઇજાગ્રસ્ત.

ProudOfGujarat

નડિયાદ : પીજ ખાતે વિશ્વ વસ્તી દિવસ અંતર્ગત ગુરુ શિબિરનું આયોજન કરાયું

ProudOfGujarat

તાલુકાના બીઆરસી ઓ તથા જિલ્લાના GSOS માટેના સ્ટડી સેન્ટરની શાળાના આચાર્યોની બેઠક યોજાઈ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!