Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વરમાં તા.25 એ “ગાના મ્યુઝિકલ ગ્રુપ” દ્વારા દેશભક્તિ ગીતોનો કાર્યક્રમ યોજાશે.

Share

26 જાન્યુઆરીએ પ્રજાસત્તાક પર્વ આવી રહ્યું છે ત્યારે પ્રતિવર્ષની જેમ અંકલેશ્વર જીઆઇડીસી સ્થિત “ગાના મ્યુઝિકલ ગ્રુપ” દ્વારા દેશભક્તિ ગીતોનો કાર્યક્રમ પણ યોજવામાં આવ્યો છે.

નોંધનીય છે કે “ગાના મ્યુઝિકલ ગ્રુપ” દ્વારા નિયમિત સમયાંતરે અંકલેશ્વર શહેર તેમજ જીઆઇડીસીના વિદ્યાર્થીઓની ગાયન પ્રતિભા ખીલે એ માટે મ્યુઝિકલ કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે અને પ્રતિ વર્ષ પ્રજાસત્તાક પર્વ અને આઝાદી પર્વના દિવસે પણ પૂર્વ સંધ્યાએ દેશભક્તિના ગીતોના કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે. આ વર્ષે પણ 25 જાન્યુઆરીના રોજ નવદુર્ગા ગરબા ગ્રાઉન્ડ ખાતે સાંજે 8:30 વાગ્યે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં અંકલેશ્વર શહેર અને જીઆઇડીસી ની શાળાઓના વિદ્યાર્થીઓ દેશભક્તિ ગીતો રજૂ કરશે.

Advertisement

આ કાર્યક્રમ પ્રતિ વર્ષ સાર્વજનિક મહોત્સવ તરીકે ઉજવવામાં આવે છે અને આયોજકો દ્વારા જનતાને આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા માટે અપીલ કરવામાં આવી છે. વિનામૂલ્યે યોજાનાર આ કાર્યક્રમ છેલ્લા ઘણા વર્ષોથી નિયમિત રીતે યોજાય છે જે અંકલેશ્વર માટે એક ગૌરવની વાત છે.


Share

Related posts

રાજ્યમાં રોજ 15 લોકો આત્મહત્યા કરે છે, રોજ 44 આકસ્મિક મોત…જાણો વધુ

ProudOfGujarat

ભરૂચનાં ધોળીકુઈ વિસ્તારમાં ગટરની કામગીરી દરમિયાન પાઇપ લાઈનમાં લીકેજ સર્જાતા વ્યાપક પ્રમાણમાં પાણીનો બગાડ થવા પામ્યો હતો.

ProudOfGujarat

ભરૂચ લોકસભાનો જંગ- રાહુલ ગાંધી ની ભરૂચ જિલ્લા માં એન્ટ્રી, ભારત જોડો ન્યાય યાત્રા થકી રાહુલ નેત્રંગ ખાતે આવી પહોંચતા ભવ્ય સ્વાગત કરાયું

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!