Proud of Gujarat
Crime & scandalFeaturedGujaratINDIA

ભરૂચના તુલસીધામ વિસ્તારમાં પરિણીત મહિલાની હત્યાથી ખળભળાટ, પિતરાઈ ભાઇ જ બન્યો હત્યારો

Share

ભરૂચ જિલ્લામાં છેલ્લા એક માસમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી હોય તે પ્રકારની એક બાદ એક ચકચારી ઘટનાઓ સર્જાઈ રહી છે, ચાલુ માસ દરમ્યાનમાં જ હત્યા, લૂંટ, અપહરણ, મારામરી સહિતની અનેક ઘટનાઓ સામે આવતા જિલ્લામાં સબ સલામતીના દાવા પોકળ સાબિત થતા જઈ રહ્યા છે.

પ્રાપ્ત માહિતી અનુસાર ભરૂચ શહેરના તુલસીધામ વિસ્તારમાં આવેલ SLD ફ્લેટના મકાન નંબર 404 માં રહેતી મનીષાબેન હિતેશભાઈ જાવિયા, ઉ 44 નાઓ તેઓના ઘરે હતા દરમ્યાનના સમયે તેઓનો પિતરાઈ ભાઇ આજે સવારના સમયે આવ્યો હતો, અને મનીષા બેન કંઈ સમજે પહેલા જ તેઓને ચપ્પુના ઘા ઝીંકી દઈ મનીષા બેનની હત્યાને અંજામ આપતાં વિસ્તારમાંમાં ભારે ચકચાર મચી હતી.

Advertisement

સમગ્ર મામલા અંગે ભરૂચ શહેર સી ડીવિઝન પોલીસ મથકે જાણ થતા પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો અને મૃતક મહિલાની લાશનો કબ્જો મેળવી તેઓની લાશને પોસ્ટમોર્ટમ અર્થે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડી ઘટના બાદ ફરાર હત્યારા મનીષ ગોકણ દાસ ભાલોડીયા રહે વડોદરા નાની સામે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.

તુલસીધામ જેવા ભરચક એવા વિસ્તારમાં આવેલ ફ્લેટ વિસ્તારમાં ઘટના એ લોકો વચ્ચે ભારે ચક્ચાર મચાવ્યો હ્તો, તો બીજી તરફ પિતરાઈ ભાઇ એ પોતાની બહેનની હત્યા કેમ અને ક્યા કારણોસર કરી છે તે દિશામાં પણ પોલીસે ઘટનાક્રમ બાદ તપાસના ધમધમાટ શરૂ કર્યા છે.


Share

Related posts

વિશ્વ મહિલા દિવસે વાત કરીએ નર્મદા જિલ્લાની આદિવાસી દીકરીની કે જે ભણવાની નાની ઉંમરમાં જ અભ્યાસ છોડીને ટાયરનાં પંચર બનાવવા જેવું કઠિન કામ કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે.

ProudOfGujarat

આસ્થા અને પર્યાવરણનું આદર્શ સંતુલન એટલે પેપરમાંથી બનાવેલી ગણેશજીની મૂર્તિ.

ProudOfGujarat

ભરૂચના ઐતિહાસિક ભીડ ભંજન મંદિરે હનુમાન જયંતિ નિમિત્તે મહોત્સવ, મહાપ્રસાદ અને લોક ડાયરાનું આયોજન

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!