Proud of Gujarat
FeaturedGujaratINDIA

ઝઘડિયાના અસનાવી નજીક બે મોટરસાયકલ અથડાતા બન્ને ચાલકો ઘવાયા

Share

ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના અસનાવી અને જેસપોર ગામ વચ્ચે બે મોટરસાયકલ સામસામે અથડાતા બન્ને મોટરસાયકલ ચાલકો ઇજાગ્રસ્ત થયા હતા.

ઝઘડિયા પોલીસમાંથી મળતી વિગતો મુજબ નેત્રંગ તાલુકાના નવાપરા ગામના અંબાલાલ કરશનભાઇ વસાવા તા.૬ ના રોજ મોટરસાયકલ લઇને અસનાવી ગામે ગયા હતા. ત્યાંથી પાછા ઘરે જઇ રહ્યા હતા ત્યારે અસનાવી અને જેસપોર વચ્ચે સામેથી આવતી એક મોટરસાયકલ તેમની મોટરસાયકલ સાથે અથડાતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં અંબાલાલભાઇ નીચે પડી ગયા હતા, અને બેભાન થઇ ગયા હતા. ત્યારબાદ તેઓ હોંશમાં આવતા તેમને નેત્રંગ સરકારી દવાખાને પ્રાથમિક સારવાર આપ્યા બાદ તેમને હાથ પર ફેક્ચર થયુ હોઇ તેમજ છાતીના ભાગે મુઢમાર વાગ્યો હોય અંકલેશ્વર ખાતે ખાનગી હોસ્પિટલમાં લઇ જવાયા હતા. અન્ય મોટરસાયકલ ચાલક પ્રકાશભાઇ દાઉદભાઇ વસાવા રહે.ગામ રાજપારડી તા.ઝઘડિયાનાને પણ જમણા પગે ફેક્ચર થયું હતું તેમજ માથાના ભાગે ઇજા થઇ હતી. અકસ્માતની આ ઘટના સંદર્ભે અંબાલાલ કરશનભાઇ વસાવા રહે.નવાપરા તા.નેત્રંગનાએ ઝઘડિયા પોલીસમાં ફરિયાદ લખાવતા પોલીસે ગુનો નોંધી કાયદેસર ક‍ાર્યવાહી હાથ ધરી હતી.

Advertisement

ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ


Share

Related posts

ફ્લો રજા  પરથી ફરાર કૈદીને  ઝડપી પાડતી પેરોલ સ્વ્કોડ

ProudOfGujarat

અરવલ્લીમાં ને.હા.નં. 8 પર ટ્રકને નડ્યો અકસ્માત, મોડાસા નગર પાલિકાનું અઢી કલાક દીલધડક રેસ્ક્યું

ProudOfGujarat

વડોદરાના શિનોર તાલુકાના તેરસા ગામમાં શાળાની દીવાલ ધરાશાયી થતાં 6 બકરાના મોત

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!