Proud of Gujarat
FeaturedGujaratINDIA

સુરતમાં મેટ્રોની કામગીરીના કારણે ડ્રેનેજ લાઈનમાંથી કાદવ ઘરમાં આવતા સ્થાનિકોને હાલાકી

Share

સુરતના વરાછના હીરાબાગ સર્કલ પાસે હાલ મેટ્રોની કામગીરી ચાલી રહી છે. જેના કારણે વિઠ્ઠલનગર સોસાયટીના લોકોની હાલત કફોડી બની છે. મેટ્રોની કામગીરીના કારણે સ્થાનિક લોકોને પરેશાની થઈ રહી છે. સોસાયટીમાં કાદવનું વહેણ ફરી વળ્યુ છે. મેટ્રોની કામગીરીના કારણે ડ્રેનેજ લાઈનમાંથી કાદવ ઘરમાં આવી રહ્યો છે.

શહેરભરની અંદર મેટ્રો ટ્રેન પ્રોજેક્ટની કામગીરી થઈ રહી છે. હીરાબાગ સર્કલની આસપાસ પણ મેટ્રો ટ્રેન પ્રોજેક્ટને લઈને કામગીરી થઈ રહી છે. જે સોસાયટીઓની અંદર અચાનક જ પાણીની લાઈનમાંથી કાદવ બહાર આવવાનો શરૂ થઈ ગયો છે એની પાછળ મેટ્રોની કામગીરી કારણભૂત જણાઈ રહી હોવાની ચર્ચા છે. મેટ્રો લાઇનના ખોદકામ દરમિયાન ક્ષતિ થઈ હોવાને કારણે પાણીની લાઈનમાંથી કાદવ બહાર આવતો હોવાનાં દૃશ્યો સામે આવ્યાં છે.

મેટ્રોની કામગીરીમાં બેદરકારીના કારણે ઘરમા રસોડા સુધી કાદવ ફરી વળ્યો છે. ડ્રેનેજ લાઈનમાંથી કિચડ બહાર આવતા સોસાયટીના લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. લોકોએ ઘરમાં કાદવ ઘૂસતો અટકાવવા માટે ઈંટોની આડશ મૂકી છે.

Advertisement

Share

Related posts

ભરૂચમાં તૌકતે વાવાઝોડાને પગલે થયેલ નુકસાન સંદર્ભે ભરૂચ નગરપાલિકા દ્વારા કામગીરી હાથ ધરાઈ.

ProudOfGujarat

સુરતમાં દેશી હાથ બનાવટના તમંચા વેચવા લાવેલો યુપી નો યુવાન ઝડપાયો

ProudOfGujarat

જયકર મહારાજ દ્વારા પોલીસકર્મી પર થયેલ હુમલાને વખોડતું ભીલીસ્તાન ટાઈગર સેના: ભરૂચ જીલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવાયું

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!