Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચના ઇન્દિરાનગર ઝૂંપડપટ્ટી વિસ્તાર ખાતે મકાનમાં આગ લાગતા દોડધામ, ફાયર વિભાગે આગ પર મેળવ્યો કાબુ

Share

ભરૂચ જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં આગ લાગવાની સતત ત્રીજી ઘટના આજે બપોર સુધી સામે આવી હતી. ભરૂચના સ્ટેશન રોડને અડીને આવેલ ઇન્દિરાનગર ઝુંપડપટ્ટી વિસ્તારમાં આજરોજ એક મકાનમાં આગ ફાટી નીકળતા ભારે નાશભાગના દ્રશ્યો સર્જાયા હતા. મકાનમાં અચાનક ફાટી નીકળેલ આગનાં ધુમાડા દુરદૂર સુધી જોવા મળતા એક સમયે ઉપસ્થિત લોકોમાં ગભરાટનો માહોલ છવાયો હતો.

મકાનમાં લાગેલ આગની ઘટનામાં ઘરની અંદર રહેલ ઘર વખરી બળીને ખાખ થઈ ગઈ હતી તો બીજી તરફ ઘટના અંગેની જાણ ભરૂચ નગરપાલિકાના ફાયર વિભાગમાં કરવામાં આવતા ફાયરના લશ્કરો એ તાત્કાલિક બે જેટલાં લાયબંબા લઈ ઘટના સ્થળે દોડી જઈ આગ પર પાણીનો મારો ચલાવતા ગણતરીના સમયમાં આગ પર કાબુ મેળવ્યો હતો, જોકે સમગ્ર ઘટનાક્રમમાં સદનસીબે કોઈ જાનહાની ન થતા ઉપસ્થિત લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો.

Advertisement

Share

Related posts

પોરબંદર પતંજલિ દ્વારા અલગ- અલગ વિસ્તારોમાં સુવર્ણપ્રાસન ટીપાનો કેમ્પ યોજાયો.

ProudOfGujarat

અમદાવાદમાં પ્રમુખસ્વામીની 100 મી જન્મજયંતિની પર 600 એકરમાં પ્રમુખસ્વામી નગર બનાવાયું.

ProudOfGujarat

સુરતના સરથાણા વિસ્તારમાં આવેલી સોસાયટીના એક બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવી ચોરી કરી હતી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!