Proud of Gujarat
FeaturedGujaratINDIA

સુરત : મહાશિવરાત્રીના પર્વે બમ બમ ભોલેના નાદથી શિવાલયો ગુંજી ઉઠયા

Share

વહેલી સવારથી જ સુરત શહેરના તમામ મહાદેવ મંદિરોની અંદર ભીડ ઉમટી છે. મહાશિવરાત્રીના દિવસે ભગવાન શિવને બીલીપત્ર અને દૂધથી અભિષેક કરવામાં આવતો હોય છે. શિવાલયોમાં આજે મોટી સંખ્યામાં ભક્તોએ દૂધ આભિષેક કરીને મહાદેવને પ્રસન્ન કરવા પૂજા કરી હતી.

સુરતના કતારગામ વિસ્તારમાં આવેલા કંતારેશ્વર મહાદેવ મંદિર ઐતિહાસિક મંદિર પૈકીનું એક છે. તાપી નદીના કિનારે ભગવાન શિવના અનેક શિવાલયો આવેલા છે જે પૈકીનું પ્રાચીનતમ કંતારેશ્વર મહાદેવ મંદિરને માનવામાં આવે છે. વહેલી સવારથી જ કંતારેશ્વર મહાદેવ મંદિરમાં પૂજા-અર્ચના શિવ ભક્તોએ કરી હતી. વહેલી સવારે ચાર વાગ્યાથી કંતારેશ્વર મહાદેવ મંદિર વહેલી સવારે આરતી કરવામાં આવી હતી. આજે આખી રાત શિવ સ્તુતિ અને શિવ ધૂન કરવામાં આવશે. આ સાથે પાલ વિસ્તારના એકલિંગજી શિવલિંગ, પરદેશ્વર મહાદેવ મંદિર, રામનાથ ઘેલા સહિતના મંદિરોમાં ભક્તોની ભીડ ઉમટી હતી.

Advertisement

Share

Related posts

કાર્તિક-કિયારાની આગામી ફિલ્મ ‘સત્યપ્રેમ કી કથા’નું પ્યોર લવ સ્ટોરી દર્શાવતુ સોન્ગ ‘આજ કે બાદ’ થયું રિલીઝ

ProudOfGujarat

અંકલેશ્વર હાઈવેની હોટલ પર કલેકટર કચેરીનાં કર્મચારીની ઓળખ આપી દુકાનમાંથી ગુટકા અને એક લાખનો તોડ કરતાં 4 લોકો ઝડપાયા.

ProudOfGujarat

ઝઘડિયા તાલુકાના જરોઇ ગામની ૫૫ વર્ષીય આધેડ મહિલાની ઉમરવાની સીમમાં હત્યા

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!