Proud of Gujarat
FeaturedGujaratINDIA

માંગરોળના ઝંખવાવ ગામે દીપડાએ બકરા અને વાછરડી પર હુમલો કર્યો.

Share

માંગરોળ તાલુકાના ઝંખવાવ ગામમાં દીપડા એ ચાર બકરા એક વાછરડીનું મારણ કર્યું. પ્રાપ્ત માહિતી અનુસાર ઝંખવાવના મામા ફળીયા રહેતા ઈમ્તિયાઝ યુસુફભાઈ શેખનો પરિવાર લગ્ન પ્રસંગમાં ગયા હતા. તેઓએ કોધારમાં પશુઓને બાંધ્યા હતા. રાત્રે દોઢ વાગ્યે ઘટના બની હતી. ચાર બકરા અને એક વાછરડાનું મારણ કર્યું હતું. ત્યારે આજુબાજુના લોકો જાગી જતાં દીપડાને ભગાડ્યો હતો.

વન વિભાગ દ્વારા તપાસ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. ઘટના સ્થળે વન વિભાગના હિતેશ માલી, ગંગા બેન તેમજ સ્ટાફગણ આવી પહોંચ્યો હતો.

Advertisement

વિનોદ મૈસુરિયા : વાંકલ


Share

Related posts

ભરૂચ મનરેગા કૌભાંડ આચરવા જ 550 કિમી દૂરની વેરાવળની એજન્સીઓને કામ અપાયાં

ProudOfGujarat

હલદરવા ગામ નજીક કાર ખાડામાં ખાબકતા બે ને ઇજા…

ProudOfGujarat

ભરૂચની એમ.કે કોમર્સ કોલેજમાં આવકવેરા જાગૃતિ સેમિનાર યોજાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!