Proud of Gujarat
FeaturedGujaratINDIA

ઝઘડિયાના સારસા ગામ ખાતે નર્મદા પરિક્રમાના આયોજકો પ્રચાર માટે આવ્યા.

Share

ભરૂચ જિલ્લામાંથી વહેતી નર્મદા નદીની પરિક્રમાનો મોટો મહિમા છે. ઘણા શ્રધ્ધાળુઓ નર્મદાની પરિક્રમા કરતા હોય છે. આજરોજ ઝઘડિયાના સારસા ગામે ઉત્તરવાહિની નર્મદા પરિક્રમા અંતર્ગત પ્રચાર માટે આયોજકો આવ્યા હતા.

મળતી વિગતો મુજબ આગામી તા.૨૧ માર્ચના રોજ આ પરિક્રમાનો રામપુરા જિ.નર્મદા ખાતેથી પ્રારંભ થશે. આ પરિક્રમાના મુખ્ય આયોજક તરીકે નર્મદાપુત્ર સાવરિયા મહારાજ સેવા આપશે. કીડી મકોડી ઘાટ દન્ડી સ્વામી યોગાનંદ તીર્થ આશ્રમ ઉત્તરેશ્વર મહાદેવ પુજન સાથે પરિક્રમાનો પ્રારંભ થશે. દરરોજ બપોરે બે કલાકે મોટરક‍ાર દ્વારા પરિક્રમા શરુ કરાશે. પરિક્રમા અવધુત આશ્રમ, તપોવન આશ્રમ, ગોપાલેશ્વર મહાદેવ, રામાનંદ આશ્રમ, સીતારામ બાપા આશ્રમ સહિતના ધાર્મિક સ્થાનોની મુલાકાત લેશે. આજરોજ ઝઘડિયા તાલુકાના સારસા ગામે પરિક્રમાના મુખ્ય આયોજક સાવરિયા મહારાજ યાત્રાના પ્રચાર અર્થે આવ્યા હતા. વધુમાં મળતી વિગતો મુજબ આ પરિક્રમા દરમિયાન કેટલાક સ્થળોએ નાવડીમાં બેસીને નર્મદા પાર કરવામાં આવશે.

Advertisement

ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ


Share

Related posts

જંબુસર ના જોષીપુરા કહાનવા ગામ ખાતે થી વેડચ પોલીસે વિદેશી દારૂ નો જથ્થો ભરેલ ઇકો કાર ને ઝડપી પાડી…..

ProudOfGujarat

અંકલેશ્વર ને.હા ૪૮ પર પાર્ક કરવામાં આવેલ આઇસર ટેમ્પોમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડતી ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાંચ.

ProudOfGujarat

ભરૂચ : ને.હા. 48 પર પાલેજનાં વરેડીયા નજીક અકસ્માતમાં બે વ્યક્તિઓનાં ઘટના સ્થળે જ કમકમાટીભર્યા મોત.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!