Proud of Gujarat
FeaturedGujaratINDIA

નડિયાદ શ્રી સંતરામ વિદ્યાલય ખાતે ધોરણ ૧૦ અને ૧૨ ના વિદ્યાર્થીઓનો વિદાય સમારંભ યોજાયો.

Share

શ્રી સંતરામ મંદિર સંચાલિત પરમ પૂજ્ય મહંત શ્રી રામદાસજી મહારાજ તથા સંત શ્રી નિગુઁણદાસજી મહારાજના સાનિધ્યમાં ચાલતી શ્રી સંતરામ વિદ્યાલય નડિયાદ ખાતે આજરોજ  ધોરણ ૧૦ અને ૧૨ ના વિદ્યાર્થીઓનો વિદાય સમારંભ અંગ્રેજી માધ્યમના પ્રાગણમાં રાખવામાં આવેલો હતો. આ પ્રસંગમાં મુખ્ય અતિથિ તરીકે અમરકંટક – નર્મદા ધામથી પધારેલ પરમ જ્ઞાની, તપસ્વી, મહંત શ્રી કલ્યાણદાસજી મહારાજ પધારેલ હતા. આ પ્રસંગે તેમના હસ્તે દીપ પ્રાગટ્ય કર્યા બાદ વિદ્યાર્થીઓને આશીર્વાદ પત્ર, બોર્ડ પરીક્ષાની રીસીપ્ટ અને શુભેચ્છા સહ પેન આપવામાં આવી. 

શ્રી સંતરામ વિદ્યાલયના સમસ્ત પરિવારે વિદ્યાર્થીઓને બોર્ડની પરીક્ષા માટે શુભેચ્છાઓ પાઠવી. તથા આવેલ મહંત શ્રી કલ્યાણદાસજી મહારાજ, નિર્ગુણદાસજી મહારાજ, સંતરામ કેળવણી મંડળના સભ્યો તેમજ ભાવીની બેન પન્નાબેન શ્રી સંતરામ વિદ્યાલય ગુજરાતી માધ્યમ તેમજ અંગ્રેજી માધ્યમના પ્રધાન આચાર્યો, ટ્રસ્ટી મંડળના સભ્યશ્રીઓ દ્વારા ઓપન એર થિયેટર ની સામે તેમના વરદ હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું. વિદ્યાર્થીઓને પ્રસાદી તેમજ અલ્પાહાર આપીને વિદાય આપી. આમ તમામ વિદ્યાર્થીઓને શ્રી સંતરામ મંદિરના પરમ પૂજ્ય મહંત શ્રી રામદાસજી તથા સંત શ્રી નિર્ગુણદાસજી મહારાજે શ્રી સંતરામ મહારાજની દિવ્ય અખંડ જ્યોતિના આશીર્વાદ પાઠવ્યા હતા.

નરેશ ગનવાણી : નડિયાદ

Advertisement

Share

Related posts

નર્મદા રાજપીપળામાં આજે ગુજરાતનાં પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તારનાં 6 ગામનાં આદિવાસીઓની મુલાકાત લઈ એમના પ્રશ્નો સાંભળ્યા હતા.

ProudOfGujarat

નડીઆદ ગાંધી હોલ ખાતે પોષણ કીટ વિતરણનો કાર્યક્રમ યોજાયો.

ProudOfGujarat

પંચમહાલ : આમ આદમી પાર્ટી દ્વારા જનસંવેદના મુલાકાત કાર્યક્રમમાં નેતા ઇસુદાન ગઢવીના ભાજપ સરકાર સામે પ્રહારો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!