Proud of Gujarat
FeaturedGujaratINDIA

ઝઘડિયા તાલુકાના છ ગામના ૧૫૦ થી વધુ ક‍ાર્યકરો ભાજપામાં જોડાયા

Share

ઝઘડિયા ખાતે આજરોજ બીટીપી સમર્થિત છ ગામના સરપંચો અને ૧૫૦ જેટલા કાર્યકરો ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા હતા. આજરોજ ઝઘડિયા મુકામે સાંસદ મનસુખભાઇ વસાવા, મારુતિસિંહ અટોદરિયા, ભરતસિંહ પરમાર, પ્રકાશ દેસાઇ, રિતેશભાઇ વસાવા અને સેવન્તુ વસાવાની ઉપસ્થિતિમાં ઝઘડિયાના સરપંચ સુરેશ વસાવા સહિત છ ગામોના સરપંચો ભાજપામાં જોડાયા હતા. ઉપરાંત બીજા ૧૫૦ જેટલા કાર્યકરો પણ તેમની સાથે ભાજપામાં જોડાયા હતા.

ભાજપા અગ્રણીઓએ ખેસ પહેરાવીને આ બધા કાર્યકરોને ભાજપામાં પ્રવેશ આપ્યો હતો. બીટીપીના ક‍ાર્યકરો અને સરપંચો ભારતીય જનતા પાર્ટીમાં જોડાતા ભાજપા કાર્યકરો દ્વારા આ તમામ નવા આવનાર કાર્યકરોને આવકાર આપવામાં આવ્યો હતો.

Advertisement

Share

Related posts

શેખ હસીના આજથી ભારતની મુલાકાતે, PM મોદી સાથે આ મહત્વપૂર્ણ મુદ્દાઓ પર થશે ચર્ચા.

ProudOfGujarat

ઝધડીયા તાલુકાનાં ભાલોદ ગામ પાસે નર્મદા નદીમાં મગર જણાતા ભયનો માહોલ સર્જાયો હતો.

ProudOfGujarat

ભરૂચ જિલ્લા પોલીસવડા ની સૂચના મુજબ જિલ્લામાં પ્રોહીબીસન અને જુગાર ની ડ્રાઈવ રાખવામાં આવી હતી જેના ભાગ રૂપે અંકલેશ્વરની શહેર પોલીસે ગણના પાત્ર પ્રોહીબીસન નો કેશ કર્યો હતો

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!