Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ નગરપાલિકા દ્વારા બાકી મિલ્કતોના વેરાઓ વસૂલ કરવાની સઘન કામગીરી શરૂ કરાઇ.

Share

ભરૂચ નગરપાલિકા દ્વારા શહેરી વિસ્તારમાં આવેલ બાકી મિલ્કતોના વેરાઓ વસૂલ કરવાની સઘન કામગીરી શરૂ કરી દેવામાં આવેલી છે. શહેર વિસ્તાર માટે દરેક વોર્ડમાં ટીમોની રચના કરી દેવામાં આવેલી છે. રહેણાંક મિલ્કતોના બાકી વેરા વસુલાત માટે નળ કનેક્શન તેમજ કોમર્સીયલ મિલ્કતો સીલ કરવાની કામગીરી ચાલુ છે. હાલમાં તા.૦૧/૦૩/૨૦૨૩ થી તા.૦૬/૦૩/૨૦૨૩ દરમ્યાન રૂ.૩૮,૦૦૦,૦૦/- લાખ (અંકે. આડત્રીસ લાખ) પુરાનું વેરા વસુલાત કરવામાં આવેલ છે. તેમજ આ કામગીરી સતત ચાલુ છે અને રોજબરોજ વેરા વસુલાત માટે નગરપાલિકા સઘન કામગીરી કરી રહેલ છે અને બાકી વેરા મિલ્કતોને સીલ કરવાની કામગીરી તેમજ પાણીના કનેક્શન કાપવાની કામગીરી સતત હાથ ધરવામાં આવી રહેલ છે. મિલ્કત ધારકોએ તાત્કાલીક અસરથી પોતાના મિલ્કતના બાકી વેરા તાત્કાલીક અરસથી ભરૂચ નગરપાલિકામાં જમા કરાવવા અને શીલિંગની કામગીરી તેમજ નળ કનેક્શન કપાવવાથી બચો.

Advertisement

Share

Related posts

વાંકલ સ્ટેશન વિસ્તારમાં દિવસદાઢે ચોરી: તિજોરી તોડી ચાંદીના ઘરેણાં ઉઠાવ્યાં

ProudOfGujarat

ભરૂચ : સરકારી સ્કીમનો લાભ લ્યો, નહી તો વાગી જશે સિલ, બાકી પડતા વેરા વસુલાત મામલે નગરપાલિકાની લાલ આંખ, સીલ મારવાની કામગીરી પુરજોશમાં..!!

ProudOfGujarat

પંચમહાલ જીલ્લાના હાલોલમાં આવેલા રણછોડનગર સોસાયટીના ત્રણ યુવાનોને ભેગા મળીને અખબારના પેપરોમાથી ગણપતિની અનોખી મુર્તિ બનાવી છે.પાછલા વર્ષોથી રણછોડનગરમાં પીઓપીની મુર્તિ સ્થાપિત કરાતી હતી.ત્યારે અખબારના પેપરમાથી ઇકોફ્રેન્ડલી મુર્તિ બનાવી એ પાણીનો શ્રોતોને સ્વચ્છ રાખવાનો સંદેશો પહોંચાડ્યો છે.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!