Proud of Gujarat
FeaturedGujaratINDIA

વડતાલ સ્વામિનારાયણ મંદિરમાં દેવોને લીલી વરિયાળીનો શણગાર કરાયો.

Share

શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના તીર્થધામ વડતાલ ખાતે આવેલ મંદિરમાં બિરાજના દેવોને સોજીત્રાના અ.નિ.વિદ્યાબેન કાંતિભાઈ પટેલ તથા અ.નિ.કાંતિભાઈ પટેલના યજમાન પદે દેવોને લીલી વળીયારીના વાધા ધરાવવામાં આવ્યા હતા. જેનો હજારો હરિભક્તોએ દર્શનનો લાભ લઇ ધન્યતા અનુભવી હતી. મંગળવારે ફાગણ વદ અમાસના રોજ વરીયાળી ઉત્સવ અને દેવોને વરિયાળી શણગાર ધરાવવામાં આવ્યા હતા. વડતાલ મંદિરના સ્વયંસેવકો દ્વારા ૧૧૦૦ કિલો લીલીછમ વરિયાળીના દેવોના વાધા તૈયાર કરવામાં આવ્યા હોવાનું શ્યામ સ્વામીએ જણાવ્યું હતું તેઓએ વધુમાં જણાવ્યું હતું કે હરિભક્તો દ્વારા સીઝન પ્રમાણે ફ્રુટ ઉત્સવ ઉજવવામાં આવે છે.

નરેશ ગનવાણી : નડિયાદ

Advertisement

Share

Related posts

વિજ્ઞાન જાથાના રાજ્ય ચેરમેઁન જયંત પંડ્યાની કામગીરી અભિનંદનને પાત્ર

ProudOfGujarat

ભરૂચ : આઝાદ ભારતનાં પ્રથમ વડાપ્રધાન ચાચા નહેરુ અને ભારત રત્ન એવા પંડિત જવાહરલાલ નહેરુની ૫૬ મી પુણ્યતિથિ નિમિત્તે જિલ્લા કોંગ્રેસનાં અગ્રણીઓએ શ્રદ્ધાંજલિ આપી હતી.

ProudOfGujarat

સુરતના ગોજરા ગામે 108 ના સ્ટાફ દ્વારા સમય બગાડયા વગર ડિલિવરી કરાવીને માતા-પુત્રીનો જીવ બચાવ્યો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!