Proud of Gujarat
FeaturedGujaratINDIA

રાજપીપળામાં ચૈત્રી નવરાત્રીનો મેળાનો પ્રારંભ થતાં ભક્તો ઉમટ્યા

Share

રીયાસતી રાજવીનગરી રાજપીપળામાં રાજા રજવાડા વખતથી રાજપીપળા ખાતે અતિપ્રાચીન મહાકાલી મંદિરે ચૈત્રી નવરાત્રિ મેળો ભરાતો આવ્યો છે. રીયાસતી રાજવીનગરી રાજપીપળામાં રાજા ચૈત્ર નવરાત્રી શરૂ થતા ભક્તો મંદિરે દર્શને ઉમટ્યા છે. મેળામાં રાજપીપળા અને આજુબાજુના ગામના અસંખ્ય લોકો ઊમટે છે. પ્રથમ નોરતે જવારાનું સ્થાપના, ઘટસ્થાપન, પૂજન-અર્ચન કરાઈ હતી. સવાર-સાંજની બન્ને આરતીમાં ભક્તો ઉમટી રહ્યા છે.

આ મંદિરનો પ્રાચીન ઇતિહાસ જાણીતો છે. 1941 થી મહાકાલી મંદિરના ચોગાનમાં ચૈત્રી નવરાત્રીનો મેળો ભરાવાનો શરૂ થયો ત્યારથી છેલ્લા 79
વર્ષથી રાજપીપળામાં નિયમિત રીતે ચૈત્રી નવરાત્રીનો મેળો ભરાય છે. અહીંયા કાછીયા પટેલ, દરજી, ધોબી, વાળદ, ભોઇ તેમજ અન્ય જ્ઞાતિઓ તરફથી ચૈત્ર નવરાત્રીનો હવન તેમજ ઉજવણીઉત્સવો ઉજવાય છે. ધજા ચડાવાય છે. 9 દિવસ નવરાત્રી દરમિયાન સવાર-સાંજ નિત્ય આરતીમાં ભક્તોની ભીડ જામે છે. રાજપીપળા જ્યારે રીયાસતી રાજવી રાજ્ય હતું ત્યારે રાજવી કુટુંબના કુળદેવીમાં હરસિધ્ધિ મંદિર ઘણું દૂર હતું રાજવીઓ પહેલા
હવેલીમાં રહેતા હતા. રાજવી કુટુંબની રાણીઓને મા હરસિદ્ધિ મંદિર દૂર પડતું હોવાથી તેમજ રીતરિવાજ પ્રમાણે ઘણી રાણીઓ પડદાનશીન રહેતી હોવાથી નિત્ય દર્શન માટે દૂર જવું યોગ્ય ન હતું. તેથી સમયના રાજવીએ આ મંદિરમાં મહાકાળી માતાની મૂર્તિની સ્થાપના કરી હતી. ત્યારથી જ રાજવી માતાજીની પજા-અર્ચના કરાઇ હતી. આ મંદિરની બાજુમાં કૂવો આવેલો છે જે ધર્મપ્રેમી સ્વ.વિજયસિંહ રાજામહારાજના વખતમાં બનેલો કુવો આજે પણ મોજુદ અનેક ઔષધીય ગુણોથી ભરેલું હતું. તેથી વિજયસિંહ મહારાજા કુવાનું પાણી પીવા માટે કાવડમા મંગાવતા હતા.

Advertisement

દીપક જગતાપ, રાજપીપલા


Share

Related posts

ભરૂચ જિલ્લામાં આજથી ફરજિયાત માસ્ક પહેરવા જાહેરનામું બહાર પડાયુ જાહેરનામાનો ભંગ કરનાર પર દંડનીય કાર્યવાહી કરાશે.

ProudOfGujarat

અંકલેશ્વર પાનોલી ખાતે ઋષિકુર ગૌશાળામાં સુંદરકાંડ અને લોકડાયરો યોજાયો.

ProudOfGujarat

અમદાવાદના ઈસ્કોન બ્રિજ અકસ્માત કેસમાં આરોપી તથ્યના પિતા પ્રજ્ઞેશ પટેલના શરતી જામીન મંજુર

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!