Proud of Gujarat
FeaturedGujaratINDIA

માંગરોળના વાંકલ ખાતે દિવ્ય પરમગુરુ શ્રીમદ કરુણાસાગર મંદિર, પ્રયોજન રેસીડેન્સી, સત કૈવલ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરાયું.

Share

તા.26/4/23 બુધવાર થી તા.30/4/23 રવિવાર સુધી પાદુકા પૂજન, અનંત શ્રી વિભૂષિત કૈવલ જ્ઞાન પીઠાધિશ્વર કુવેરાચાર્ય જગદ ગુરુ શ્રી અવિચલ દેવાચાર્યજી મહારાજની ભાવવંદના તથા દરરોજ સાંજે નવ કલાકે સાધ્વી ગીતા દીદીના મધુર કંઠે ભક્તિ સંગીત અને ગુરુ મહિમા કથા તેમજ તા.1/5/23 ના રોજ સવારે 8.00 થી 11.30 કલાકે ગુરુ ગાદી દ્વારા નિર્મિત કરુણા સાગર મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ રાખવામાં આવ્યો છે. સૌ ભાવિક ભક્તોને પધારવા હાર્દિક નિમંત્રણ પાઠવવામાં આવે છે. વાંકલના આજુબાજુના 45 ગામોમાં પાદુકા પૂજન અને કથા સત્સંગ કાર્યક્રમ યોજવામાં આવશે. જગદ ગુરુ અવિચલ દેવાચાર્યજી તેમજ ગુજરાત પ્રદેશ ભાજપા અધ્યક્ષ સી. આર. પાટીલ, માંગરોળ તાલુકાના ધારાસભ્ય ગણપતસિંહ વસાવા તેમજ મંત્રીઓ અને ધારાસભ્યો હાજરી આપશે.

વિનોદ મૈસૂરિયા : વાંકલ

Advertisement

Share

Related posts

ઝેરી દવા પી ગયેલ નવા વાડીયાના રહીસનું સારવારા દરમ્યાન અર્થે મૌત…

ProudOfGujarat

હલદરવામાં બાવા લુણ ર.અ. ના ઉર્સની શાનદાર ઉજવણી..

ProudOfGujarat

જામનગર-વિજાપુરા વિદ્યાસંકુલના છાત્રો ગુજરાતમાં પ્રથમ..જાણો વધુ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!