Proud of Gujarat
FeaturedGujaratINDIA

ચોટીલા મંદિરનો રોપ- વે પ્રોજેક્ટ રોકવાની અરજી હાઈકોર્ટે ફગાવી

Share

સુરેન્દ્રનગરના ચોટીલામાં આવેલા ચોટીલા ચામુંડા માતાજીના મંદિરે રોપ-વે બનાવવાનો માર્ગ હવે મોકળો થયો છે. આજે ગુજરાત હાઈકોર્ટે રોપ-વે બનાવવા પર રોક લગાવવાની માગ કરતી અરજીને ફગાવી દીધી છે. આ સાથે જ હાઈકોર્ટે કહ્યું હતું કે આ પ્રોજેક્ટ અટકશે નહીં.

પ્રસિદ્ધ યાત્રાધામ ચોટીલા ડુંગર પર બિરાજમાન ચામુંડા માતાજીના મંદિરે રોપ-વે બનાવવાની વિચારણા લાંબા સમયથી ચાલી રહી છે. આ માટે મંજૂરી પણ આપી દેવામાં આવી હતી. જો કે મંદિરના ટ્રસ્ટે હાઈકોર્ટમાં અરજી દાખલ કરી હતી અને આ પ્રોજેકટને લઈને સવાલ ઉઠાવ્યા હતા અને કહ્યું હતું કે આઉટડેટેડ ટેક્નોલોજીવાળા રોપ-વે હશે તો મોરબી જેવી દુર્ઘટના પણ બનવાની સંભાવના રહેશે. વધુમાં તેણે જણાવ્યુ હતું કે રોપ-વે બનાવવાનું કાર્ય જેને સોંપવામાં આવ્યું છે તેને આ પ્રકારનો કોઈ અનુભવ નથી જોકે હાઈકોર્ટે આ અરજીને ફગાવી દીધી છે.

Advertisement

ચામુંડા મંદિરે રોજ લાખો શ્રદ્ધાળુઓ દર્શન કરવા જતા હોય છે. આ રોપ-વે બનાવવાથી શ્રદ્ધાળુઓને રોપ-વે ની સુવિધાનો લાભ મળશે. ચોટીલામાં રોપ-વે બનાવવાની વિજય રૂપાણી જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારે મંજૂરી મળી હતી. એ વખતે બિન અનુભવી કંપનીને કોન્ટ્રાક્ટ મળતા પ્રોજેક્ટ અટવાયો હતો. હવે ડિસેમ્બર 2023 માં ચોટીલા રોપ-વે શરૂ કરવાનું આયોજન છે. હાલ આબુની એક કંપની રોપ-વેનું બનાવી રહી છે. ચોટીલાના ડુંગર પર આવેલા ચામુંડા મંદિર પર અંદાજે 600 કરતા પણ વધારે પગથિયા છે. આ મંદિરે રોપ-વે બનાવવા પાછળ અંદાજે 20 કરોડનો ખર્ચ થશે.


Share

Related posts

બલડેવા-પીંગોટ અને ધોલી ડેમમાં પાણીના સંગ્રહમાં દરરોજ ૫ સેમી ઘટાડો

ProudOfGujarat

ભાવનગર જીલ્લાના પાલીતાણા માં વરસાદી માહોલ જામ્યો વરસાદ સરુ લોકોને ગરમીથી મળી રાહત વિજળી ગુલ.

ProudOfGujarat

થામ નજીક ટ્રક અને મોટરસાયકલ વચ્ચે અકસ્માત સર્જાતા બે વ્યક્તિના મોત નિપજ્યા જ્યારે એક વ્યક્તિને ગંભીર ઇજાઓ પહોચી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!