Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચમાંથી પસાર થતા એક્સપ્રેસ વે માં જમીન ગુમાવનાર ખેડૂતોના વળતરનો મામલો, ખેડૂતો પ્રતિક ઉપવાસ પર બેસે તે પહેલા જ કરાઈ અટકાયત

Share

ભરૂચ જિલ્લા કલેકટર કચેરી ખાતે ૫ દિવસના પ્રતિક ઉપવાસ આંદોલન પર બસે તે પહેલાં જીલ્લાના અંદાજીત ૧૫૦ ખેડૂતોની હંગામી અટકાયત કરાઇ છે, અંકલેશ્વર શહેર એ ડીવીઝન પોલીસ મથકની હદમાં આવતા એક્સ્પ્રેસ હાઇવેમાં જમીન ગુમાવનાર અંદાજીત ૫૦ જેટલા ખેડૂતોની અટક કરાઇ છે.

ખેડૂતો એ રાજ્ય અને કેન્દ્ર સરકાર સામે તીખા પ્રહારો કરી સંવેદનશીલ સરકાર ની સંવેદના ભરૂચના ખેડૂતો માટે નહીં હોવાનું નિવેદન આપ્યું છે, સાથે જ રોષ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે અંગ્રેજોની ગુલામીમાં અઝાદી ઇચ્છતા મહાત્મા ગાંધી આંદોલન કરી શકતા હતા પણ ભરૂચમાં ખેડૂતોને પોલીસના જોરે આંદોલન પણ નથી કરવા દેવામાં આવતા તેવા આક્ષેપો કરવામાં આવ્યા હતા.

Advertisement

અત્રે ઉલ્લેખનીય છે કે છેલ્લા કેટલાય સમયથી ભરૂચ જિલ્લામાં જમીન વળતરની માંગ સાથે ખેડૂતો આંદોલન કરી રહ્યા છે, ખેડૂતોએ દક્ષિણ ગુજરાતના અન્ય જિલ્લામાં અપાયેલ ચૂકવણાની બાબતને આગળ ધરી તંત્ર તેઓને પણ યોગ્ય ચુકવણું આપે તેવી માંગ ઉચ્ચારવામાં આવી હતી જે બાદ આજે ખેડૂતો કલેકટર કચેરી એ આંદોલન કરે તે પહેલા જ પોલીસ દ્વારા તમામની અટકાયત કરવામાં આવી હતી.


Share

Related posts

વલસાડ જીલ્લાના કિલ્લા પારડી ખાતે શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું હતું જેમા તારક મહેતા કા ઉલ્ટા ચશ્માં ના બકાભાઈએ સુદામાપાત્ર ભજવી લોકોના દિલ જીતી લીધા હતા

ProudOfGujarat

“મારૂં ગામ કોરોના મુક્ત ગામ” અભિયાનના ભાગરૂપે રાજ્યકક્ષાના મંત્રી ઇશ્વરસિંહ પટેલનો નર્મદા જિલ્લાનો પ્રવાસ કાર્યક્રમ.

ProudOfGujarat

ભરૂચની પટેલ વેલ્ફેર હોસ્પિટલ ખાતે ઓક્સિજન પ્લાન્ટનું કરાયું લોકાર્પણ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!