Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ ઉત્થાન ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા યુપીએલ યુનિવર્સિટી વાલીયા ખાતે ધો. 10 અને 12 વિદ્યાર્થીઓ માટે શૈક્ષણિક કારકિર્દી માર્ગદર્શન અપાયું

Share

ઉત્થાન ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ભરૂચ શહેરના જુદા જુદા વિસ્તારના સંસ્થા સાથે સંકળાયેલા વિદ્યાર્થીઓને ધોરણ 10 અને 12 પછી શૈક્ષણિક કારકિર્દીમા માર્ગદર્શન મળી રહે તે માટે યુપીએલ યુનિવર્સિટી વાલીયા ખાતે રૂબરૂ મુલાકાત કરાવી હતી જેમાં યુપીએલ યુનિવર્સિટીના રજીસ્ટર ધર્મેશ પટેલે વિદ્યાર્થીઓને ધોરણ 10 અને 12 પછી તેમની કારકિર્દીના યોગ્ય અને ઉજળા ભવિષ્ય માટે જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું તેમજ યુપીએલ યુનિવર્સિટી દ્વારા ચાલતા વિવિધ કોર્સ કોર્સની માહિતી પૂરી પાડી હતી અને યુનિવર્સિટીના અલગ અલગ ફેકલ્ટીની વિઝીટ કરાવી હતી. આ તમામ કાર્યક્રમ માટે ધર્મેશ પટેલ, વાઈસ કાઉન્સિલર સાહેબ તેમજ અન્ય સ્ટાફ ગણે જરૂરી માહિતી પૂરી પાડી હતી. જેમાં સંસ્થાના પ્રમુખ પરેશ મેવાડા, ઈશા મેવાડા, નીતાબેન બારસાગવાલા, વૈશાલીબેન ચંદેલ, અમિતાબેન રાણા વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

Advertisement

Share

Related posts

ડાકોરમાં રણછોડરાય મંદિરના દરવાજા નજીક બે આખલા બાખડતા લોકોમાં અફરાતફરી.

ProudOfGujarat

ભારતનાં પૂર્વ વડાપ્રધાન સ્વ.ચંદ્રશેખરની જન્મજયંતિ ડેડીયાપાડા ભારત યાત્રા કેન્દ્ર તથા ચીકદા નાલંદા આશ્રમ ખાતે જન્મ જયંતી ઉજવાઈ.

ProudOfGujarat

ઝઘડિયા તાલુકાનાં અને નર્મદા જિલ્લાની હદ પર આવેલા તાલુકાનાં ગામોમાં તાડફળીનાં મોટા પાયે ઝાડો હોવા છતાં લોક ડાઉનનાં કારણે ધંધો ન થવાથી રોજગારી પર અસર વર્તાઈ રહી છે.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!