Proud of Gujarat
FeaturedGujaratINDIA

હિમાચલ પ્રદેશના સાંસદ ઇન્દુબાલા ગોસ્વામીએ નડિયાદ સંતરામ મંદિરે સમાધિ સ્થાન અને ગુરુગાદીના દર્શન કર્યા

Share

દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નવ વર્ષના  સુશાશનની ઉપલબ્ધીઓને જન જન સુધી પહોંચાડવાના ભાગરૂપે જન સંપર્ક અભિયાન અંતર્ગત હિમાચલ પ્રદેશના રાજ્યસભાના સાંસદ ઇન્દુબાલા ગોસ્વામીએ નડિયાદના સંતરામ મંદીરની મુલાકાત લઇ સમાધિ સ્થાન અને ગુરુગાદીના દર્શન કરી   ધન્યતા અનુભવી હતી.

આ પ્રસંગે તેમની સાથે ખેડા જિલ્લા ભાજપના મહામંત્રીઓ અપૂર્વભાઈ પટેલ, અમિતભાઇ ડાભી, રાજેશભાઇ પટેલ વગેરે અગ્રણીઓ જોડાયા હતા. સાંસદ ઇન્દુબાલાજીએ  ત્યારબાદ નગરના વિવિધ ક્ષેત્રના વિશિષ્ટ અગ્રણીઓ સાથે મુલાકાત લઈ બેઠક કરી હતી. સાંસદ ઇન્દુબાલાજીએ સ્થાનિક સંગઠનના હોદ્દેદારો સાથે નડિયાદના જિલ્લા સ્પોર્ટ સંકુલ ઉપરાંત મહાગુજરાત હોસ્પિટલ અને કિડની હોસ્પિટલની પણ મુલાકાત લીધી હતી.

નરેશ ગનવાણી : નડિયાદ

Advertisement

Share

Related posts

પાલેજ પોલીસ મથકમાં મોહરમ પર્વ નિમિત્તે શાંતિ સમિતિની બેઠક યોજાઇ.

ProudOfGujarat

સુરતમાં સગીર બાળકોની નશાખોરીથી વાલીઓ પરેશાન, પોલીસ ફરિયાદ કરવા છતાં કોઈ પગલાં લેવાતા નથી.

ProudOfGujarat

ઝઘડિયા તાલુકાના રાણીપુર ગામની સિમ માંથી વિદેશી દારૂ ઝડપી પાડતી LCB પોલીસ …

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!