Proud of Gujarat
FeaturedGujaratINDIA

નેત્રંગ ખાતે ઝઘડીયા વિધાનસભાનું વિવિધ યોજનાના લાભાર્થીઓનું સંમેલન યોજાયું

Share

પ્રાપ્ત માહિત મુજબ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના શાસનને ૯ વર્ષ પૂર્ણ થતાં ભાજપ જનસંપર્ક કાયૅક્રમ થકી મતદારો ઉપર પોતાની પકડ મજબુત કરી રહી છે જેમાં ઝઘડીયા વિધાનસભાના વાલીયા-ઝઘડીયા અને નેત્રંગ તાલુકામાં રાજ્ય-કેન્દ્ર સરકારની વિવિધ યોજનાના લાભાર્થીઓનું સંમેલન નેત્રંગના સ્વામીનારાયણ મંદિરના ભવનમાં યોજવામાં આવ્યું હતું.

ભરૂચ સાંસદ મનસુખભાઇ વસાવાએ જણાવ્યું હતું કે,પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના શાસનમાં રાજ્ય-કેન્દ્ર સરકારની તમામ યોજનાનો લાભ છેવાડાના ગામો સુધી પહોંચતા દરેક સમાજનો વિકાસ થયો છે. રામ મંદિર નિર્માણ, ૩૭૦ કલમ અને સ્ટેચ્યું ઓફ યુનિટ સહિત દેશહિતના નિર્ણયથી જનમાણસમાં ભાજપ તરફ વિશ્વાસ રાખી રહ્યું છે. ઝઘડીયાન ધારાસભ્ય રિતેશભાઇ વસાવાએ આદિવાસી સમાજનું કલ્યાણ એજ ભાજપનો સંકલ્પ પુરો કરવા અમે રાત-દિવસ તનતોડ પરિશ્રમ કરી રહ્યા છે. જ્યારે જીલ્લા ભાજપ પ્રમુખ મારૂતિસિંહ અટોદરીયાએ જણાવ્યું હતું, ઝઘડીયા વિધાનસભામાં ભાજપનું કમળ ખિલવું તે સ્વન્ન સમાન હતું તે પૂર્ણ થયું છે. જે દરમ્યાન વાલીઆ-ઝઘડીયા અને તાલુકાના પદાધિકારીઓ-હોદ્દેદારો સહિત મોટી સંખ્યામાં લાભાર્થી જોડાયા હતા.

Advertisement

Share

Related posts

ભરૂચમાં આજરોજ વધુ 20 કોરોના પોઝીટિવ કેસ નોંધાતા કુલ સંખ્યા 2178 થઈ.

ProudOfGujarat

સુરત મહાનગર પાલિકામાં ફરજ બજાવતા તબીબ ખાનગી હોસ્પિટલમાં પણ પ્રેકટિસ કરતા ઝડપાય જતા કાયદેસરની કાર્યવાહી કરાઈ છે.

ProudOfGujarat

ભરૂચ બાયપાસ ચોકડી વિસ્તારના અચ્છે દિન😍આંદોલનો બાદ તંત્ર દ્વારા રસ્તા ની કામગીરી શરૂ કરવામાં આવી..

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!