Proud of Gujarat
Uncategorized

ભરૂચના સર્કલ ઇન્સ્પેક્ટરની દોરવણી હેઠળ નબીપુરમાં ઇદુલ અદહાના તહેવાર નિમિત્તે જનસંપર્ક કાર્યક્રમ યોજાયો…

Share

મુસ્લિમ સમાજ દ્વારા ઇદુલ અદહાનું પર્વ મનાવવામાં આવી રહ્યું છે જે શાંતિપૂર્ણ માહોલમાં ઉજવવામાં આવી રહ્યું છે ત્યારે ગતરોજ સાંજે ભરૂચના સર્કલ ઇન્સ્પેકટર કે.ઇ. બારીઆની દોરવણી હેઠળ નબીપુર ગામમાં સાંજના સમયે એક જનસંપર્ક કાર્યક્રમનું આયોજન કરાયું હતું. જેનો મુખ્ય ઉદ્દેશ ઈદનો તહેવાર શાંતિમય વાતાવરણમાં ભાઈચારા સાથે ઉજવાય અને ગામની શાંતિ અખંડિત રહે તે માટે હતો. આ પ્રસંગે નબીપુરના પી.એસ.આઈ. કે.એમ.ચૉધરી તેમના પોલીસ સ્ટાફ સાથે ઉપસ્થિત રહયા હતા. સાથો સાથ નબીપુરના ડેપ્યુટી સરપંચ હાફેજી ઇકરામભાઈ દશુ, નબીપુર ગ્રામ પંચાયતના સભ્યો તથા ગામના આગેવાનો ઉપસ્થિત રહયા હતા. ગ્રામ જનોએ પોલીસ વિભાગને ખાત્રી આપી હતી કે આવનાર તહેવાર શાંતિમય રીતે પરંપરાગત રીતે ઉજવાય તે માટેના તમામ પ્રયત્નો કરીશું.

Advertisement

Share

Related posts

ભરૂચ સાયબર ક્રાઈમ પોલીસે 38 પીડિતોને ₹3.46 કરોડથી વધુની રકમ પરત

ProudOfGujarat

ભરૂચ રેલ્વે સ્ટેશન પર એક પુરુષનું કુદરતી બીમારીના કારણે સારવાર દરમિયાન મોત…

ProudOfGujarat

ફરીદાબાદથી ટ્રેન મારફતે સુરત વિદેશીદારુની હેરાફેરી કરતો શખ્સ ઝબ્બે 

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!