Proud of Gujarat
Uncategorized

ભરૂચના સર્કલ ઇન્સ્પેક્ટરની દોરવણી હેઠળ નબીપુરમાં ઇદુલ અદહાના તહેવાર નિમિત્તે જનસંપર્ક કાર્યક્રમ યોજાયો…

Share

મુસ્લિમ સમાજ દ્વારા ઇદુલ અદહાનું પર્વ મનાવવામાં આવી રહ્યું છે જે શાંતિપૂર્ણ માહોલમાં ઉજવવામાં આવી રહ્યું છે ત્યારે ગતરોજ સાંજે ભરૂચના સર્કલ ઇન્સ્પેકટર કે.ઇ. બારીઆની દોરવણી હેઠળ નબીપુર ગામમાં સાંજના સમયે એક જનસંપર્ક કાર્યક્રમનું આયોજન કરાયું હતું. જેનો મુખ્ય ઉદ્દેશ ઈદનો તહેવાર શાંતિમય વાતાવરણમાં ભાઈચારા સાથે ઉજવાય અને ગામની શાંતિ અખંડિત રહે તે માટે હતો. આ પ્રસંગે નબીપુરના પી.એસ.આઈ. કે.એમ.ચૉધરી તેમના પોલીસ સ્ટાફ સાથે ઉપસ્થિત રહયા હતા. સાથો સાથ નબીપુરના ડેપ્યુટી સરપંચ હાફેજી ઇકરામભાઈ દશુ, નબીપુર ગ્રામ પંચાયતના સભ્યો તથા ગામના આગેવાનો ઉપસ્થિત રહયા હતા. ગ્રામ જનોએ પોલીસ વિભાગને ખાત્રી આપી હતી કે આવનાર તહેવાર શાંતિમય રીતે પરંપરાગત રીતે ઉજવાય તે માટેના તમામ પ્રયત્નો કરીશું.

Advertisement

Share

Related posts

ગુજરાતી સ્ત્રી પર આધારિત સ્ટોરીમાં હવે ઐશ્વર્યા રાય બચ્ચન બનશે સરોગેટ માતા

ProudOfGujarat

સ્વંત્રત સેનાની અને પ્રખર પત્રકાર સ્વર્ગીય હિંમતલાલ ગાંધીજીને ફાળવવામાં આવેલ જગ્યા ખાલસા કરવામાં આવી જાણો કેમ ???

ProudOfGujarat

ગ્રાસિમ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ, વિલાયત દ્વારા “આદિત્ય બિરલા શિક્ષા જ્યોતિ” અંતર્ગત 225 વિદ્યાર્થીઓને શિષ્યવૃતિ વિતરણ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!