Proud of Gujarat
FeaturedGujaratINDIA

હરિયાણાનાં સોનીપતમાં નૂડલ્સ ખાવાથી એક જ પરિવારના 2 બાળકોના મોત

Share

હરિયાણાના સોનીપતમાં વેસ્ટ રામનગર સ્થિત માયાપુરી કોલોનીમાં રાત્રે નૂડલ્સ ખાવાથી એક પરિવારના બે બાળકોની હાલત બગડી હતી. પરિવારજનોએ મોડી રાત્રે બંનેને હોસ્પિટલમાં દાખલ કર્યા, જ્યાંથી તેમને પ્રાથમિક સારવાર બાદ હાયર સેન્ટર રેફર કરી દેવાયા. પરિજન તેમને એક પ્રાઈવેટ હોસ્ટિપલમાં લઈ ગયા, જ્યાં ભાઈ-બહેનનું મોત નીપજ્યુ. ઘટના બાદ બાળકોની માતાની પણ હાલત બગડી ગઈ. સાથે જ તેમના મોટા ભાઈને પણ હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી. પોલીસે ઘટનાની તપાસ શરૂ કરી દીધી છે.

માયાપુરી કોલોની નિવાસી પરિવારે બુધવારે રાત્રે પરોઠા અને બાદમાં નૂડલ્સ ખાધા હતા. નૂડલ્સ પાડોશની એક દુકાનમાંથી ખરીદવામાં આવ્યા હતા. રાત્રે પરિવારના તમામ લોકો ભોજન અને નૂડલ્સ ખાઈને સૂઈ ગયા. મોડી રાત્રે લગભગ એક વાગ્યે પરિવારની 7 વર્ષીય પુત્રી અને 5 વર્ષીય પુત્રની હાલત બગડી ગઈ. જેના કારણે બંને બાળકોને હોસ્પિટલ સોનીપતમાં દાખલ કરવામાં આવ્યા. ત્યાં પ્રાથમિક સારવાર બાદ તેમની હાલતમાં સુધારો ન થવાના કારણે બંનેને હાયર સેન્ટર રેફર કરી દેવાયા.

Advertisement

ઘટના બાદ બાળકોની માતાની હાલત બગડી ગઈ. બે બાળકોના મોતના કારણે તેઓ બેભાન થઈ ગયા. તેમને પણ હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર આપવામાં આવી. ઘટનાની માહિતી બાદ પોલીસે તપાસ શરૂ કરી દીધી છે.


Share

Related posts

કોરોના સંદર્ભે ઈજિપ્તથી આવેલ રાજપીપલાની જ. હોસ્પિટલને ડિફિબ્રીલેટર શોક મશીન અને ઇલેક્ટ્રોકાર્ડિયોગ્રામ મશીન આપવામાં આવ્યું…

ProudOfGujarat

જ્યોર્જિયા એન્ડ્રિયાનીએ તેણીનો પ્રથમ યુટયુબ વ્લોગ સ્ટ્રીમ કર્યો.

ProudOfGujarat

ઝઘડિયા તાલુકાના મોટા સાંજા ગામના હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટરને જિલ્લા કક્ષાનો એવોર્ડ મળ્યો

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!