Proud of Gujarat
FeaturedGujaratINDIAUncategorized

અમદાવાદ ગ્રામ્ય એસ.ટી. નિગમ મા સલાહકાર તરીકે વિરમગામ ના સામાજિક કાર્યકર-સેવાભાવી તેજસભાઇ વજાણી ની પસંદગી.

Share

ગુજરાત રાજ્ય માર્ગ અને વાહન વ્યવહાર નિગમના અમદાવાદ વિભાગ માં સલાહકાર સમિતિ ની રચના કરવામાં આવી છે. જેમા અમદાવાદ જિલ્લાના વિરમગામ ના જાણિતા સામાજીક કાર્યકર-શિક્ષક અને સેવાભાવી તેજશભાઇ વજાણી ની સલાહકાર તરીકે પસંદગી કરવામાં આવી છે. પસંદગી ને લઇને વિરમગામ શહેર સહિત પંથકમાં આનંદની લાગણી ફેલાઇ છે.એસટી નિગમ ના અધિનિયન કાયદા અનુસાર સરકારને મળેલી સતાથી કોર્પોરેશન ને સલાહ આપવા હેતુ માટે અમદાવાદ ગ્રામ્ય વિભાગ માટેની સલાહકાર સમિતિ ની રાજ્ય સરકારે રચના કરી છે. જેમા અમદાવાદ જિલ્લાના વિરમગામ ના જાણિતા સામાજીક કાર્યકર-શિક્ષક, સેવાભાવી એવા તેજશભાઇ વજાણી ની એસ.ટી.નિગમ મા સલાહકાર તરીકે પસંદગી કરવામાં આવી. તેજશભાઇ વજાણી એ વિરમગામ સહિત પંથકના સામાજીક કાર્યકર તરીકે ઘણા વર્ષો થી પ્રજાલક્ષી પ્રશ્ર્નો ને વાચા આપવાનું કામ કરતાજ રહ્યાં છે. વિરમગામ શહેરના તેજશભાઇ વજાણી ની સલાહકાર તરીકે પસંદગી કરાતાં પંથકમાં આનંદની લાગણી ફેલાઇ છે. 
 
પીયૂષ ગજ્જર, વિરમગામ.

Share

Related posts

અંકલેશ્વરમાં કોરોના વેક્સિનનો પ્રિકોશન ડોઝ આપવાનો પ્રારંભ થયો.

ProudOfGujarat

रितिक रोशन आनंद कुमार के 26 आईआईटी-जेईई 2018 पास आउट छात्रों के लिए रखेंगे पार्टी!

ProudOfGujarat

યુક્રેનમાં ફસાયેલ ભરૂચની વિદ્યાર્થીનીનાં પરિવારજનની કલેકટરે લીધી મુલાકાત.

ProudOfGujarat
error: Content is protected !!