Proud of Gujarat
FeaturedGujaratINDIA

જંબુસર : ગોકળલાલની ખડકી વિસ્તારના 150 વર્ષ જુના મકાનની દીવાલ ધરાશાયી થતા દોડધામ

Share

ભરૂચ જિલ્લામાં હાલ ચોમાસાની ઋતુમાં વરસાદી માહોલ જામ્યો છે, વરસાદના કારણે ખાસ કરી જર્જરીત મકાનો અને ઇમારતો જોખમ સમાન સ્થિતિમાં મુકાઈ જતા હોય છે, જંબુસરમાં પણ જર્જરીત ઇમારતો જોવા મળતી હોય છે તેવામાં ગોકળલાલની ખડકી વિસ્તારમાં એક જૂની ઇમારતની દીવાલ ધરાશાયી થઈ હોવાની ઘટના સામે આવી છે.

અચાનક દીવાલ ધરાશાયી થતા દોડધામ મચી જવા પામી હતી, વિસ્તારના રહીશોએ નગરપાલિકા અને મકાન માલિકને જર્જરિત મકાન ઉતારી લેવા અવારનવાર રજૂઆત કરી હતી, જોકે તંત્રની ઢીલાસના કારણે આખરે મોટી હોનારત થતા અટકી હતી.

ઘટનામાં કોઈને નુકસાન કે ઇજા નહિ થતા વિસ્તારના રહીશોએ હાશકારો અનુભવ્યો હતો, મહત્વની બાબત છે કે જંબુસર નગરમાં આવેલ જર્જરિત ઇમારતો નગરપાલિકા ક્યારે દૂર કરશે.? એ ચર્ચાએ નગરમાં ભારે જોર પકડયું છે

Advertisement

Share

Related posts

વડોદરા : કરજણ ભરત મુનિ હૉલ ખાતે અમૃત આવાસોત્સવ અંતર્ગત કાર્યક્રમ યોજાયો

ProudOfGujarat

ગણેશ મહોત્સવમાં શાંતિ જળવાય તે માટે ભરૂચ જિલ્લામાં 8 પ્રકારના કૃત્યો પર પ્રતિબંધ : અધિક જિલ્લા મેજિસ્ટ્રેટનું જાહેરનામુંઃ રંગ-પાઉડર ઉડાડવા, ધાર્મિક લાગણી દુભાવતાં ગીતો વગાડવા અને ટ્રાફિકને અડચણરૂપ શોભાયાત્રા પર મનાઈ

ProudOfGujarat

હાશ,તંત્રને સમય મળ્યો, ભરૂચ વોર્ડ નંબર ૧૦ માં પીરકાંઠીથી ચાર રસ્તા સુધીના માર્ગની કામગીરી શરૂ થતાં સ્થાનિકોમાં ખુશી..!!

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!