Proud of Gujarat
FeaturedGujaratINDIA

જંબુસર : ગોકળલાલની ખડકી વિસ્તારના 150 વર્ષ જુના મકાનની દીવાલ ધરાશાયી થતા દોડધામ

Share

ભરૂચ જિલ્લામાં હાલ ચોમાસાની ઋતુમાં વરસાદી માહોલ જામ્યો છે, વરસાદના કારણે ખાસ કરી જર્જરીત મકાનો અને ઇમારતો જોખમ સમાન સ્થિતિમાં મુકાઈ જતા હોય છે, જંબુસરમાં પણ જર્જરીત ઇમારતો જોવા મળતી હોય છે તેવામાં ગોકળલાલની ખડકી વિસ્તારમાં એક જૂની ઇમારતની દીવાલ ધરાશાયી થઈ હોવાની ઘટના સામે આવી છે.

અચાનક દીવાલ ધરાશાયી થતા દોડધામ મચી જવા પામી હતી, વિસ્તારના રહીશોએ નગરપાલિકા અને મકાન માલિકને જર્જરિત મકાન ઉતારી લેવા અવારનવાર રજૂઆત કરી હતી, જોકે તંત્રની ઢીલાસના કારણે આખરે મોટી હોનારત થતા અટકી હતી.

ઘટનામાં કોઈને નુકસાન કે ઇજા નહિ થતા વિસ્તારના રહીશોએ હાશકારો અનુભવ્યો હતો, મહત્વની બાબત છે કે જંબુસર નગરમાં આવેલ જર્જરિત ઇમારતો નગરપાલિકા ક્યારે દૂર કરશે.? એ ચર્ચાએ નગરમાં ભારે જોર પકડયું છે

Advertisement

Share

Related posts

નવસારી જિલ્લા પ્રભારી મંત્રી ગણપતસિંહ વસાવાની ઉપસ્‍થિતિમાં ચીખલી પ્રાંતકક્ષાના પડતર પ્રશ્નોની સમીક્ષા અર્થે બેઠક મળી

ProudOfGujarat

ભરૂચ થી જંબુસર જવાનાં માર્ગ પર અકસ્માત નો બનાવ,દેરોલ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ના 2 કર્મચારી ઓના મોત

ProudOfGujarat

ભરૂચ જીલ્લા કોંગ્રેસ અને ખેડૂતો દ્વારા સ્ટેશન વિસ્તાર માં શાકભાજી.દૂધ.અને અનાજ રસ્તા ઉપર ફેંકી ઉગ્ર વિરોધ પ્રદશન કરવામાં આવતા પોલીસે ૩૦ થી વધુ લોકો ની અટકાયત કરી હતી……

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!