Proud of Gujarat
FeaturedGujaratINDIA

સુરતની વિદ્યાકુંજ શાળાનાં 7 વિદ્યાર્થીઓએ ચંદ્રયાન-3 ની આબેહુબ રંગોળી બનાવી, સફળતા માટે પ્રાર્થના કરી

Share

આજે શ્રી હરિ કોટાથી ચંદ્રયાન-3 નું સફળતાપૂર્વક લોન્ચિંગ કરવામાં આવ્યું છે. જોકે, આ પહેલા સમગ્ર દેશમાં ચંદ્રયાન-3 ના સફળતાપૂર્વક લોન્ચિંગ માટે પ્રાર્થના કરવામાં આવી હતી. ત્યારે સુરતની વિદ્યાકુંજ શાળામાં ચંદ્રયાન-3 ની સફળતા માટે એક ખાસ પ્રકારની ચંદ્રયાન-3 ની આબેહૂબ રંગોળી બનાવવામાં આવી હતી.

મળતી માહિતી મુજબ, સુરતની વિદ્યાકુંજના 7 જેટલા રંગોળી કલાકારો દ્વારા 22 કલાકની ભારે જહેમત બાદ ચંદ્રયાન-3 ની આબેહૂબ રંગોળી બનાવવામાં આવી હતી. આ રંગોળીમાં ચંદ્રયાન ફ્રન્ટના પ્રક્ષેપણનું આબેહૂબ ચિત્ર ઊભું કર્યું છે અને સાથે જ ચંદ્રયાન-3 મિશન સફળ થાય તે માટે પ્રાર્થના કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે આજે બપોરે 2.35 વાગ્યે આંધ્રપ્રદેશના શ્રીહરિકોટાના સતીશ ધવન સ્પેસ સેન્ટરથી ચંદ્રયાન-3 નું સફળતાપૂર્વક લોન્ચિંગ કરવામાં આવ્યું છે. ચંદ્રયાન ત્રણને લઈને દેશભરમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે.

Advertisement

Share

Related posts

વિદ્યાર્થીઓને કોરોના થાય તો રાજ્ય સરકાર તેની સારવારનો ખર્ચ ચૂકવશે તેવી એન.એસ.યુ.આઇ ની કલેકટર સમક્ષ રજૂઆત.

ProudOfGujarat

જંબુસરની નગરપાલિકાની આજરોજ મળેલ સામાન્યસભા સત્તાધારીપક્ષ ભાજપાના સદસ્યોના આંતરિક વિખવાદના કારણે મુલતવી રહેતા વિકાસના કામો ઉપર કોઈ નિર્ણય ન લેવાતાં નગરજનોને હજુ તકલીફનો સામનો કરવો પડશે

ProudOfGujarat

Surekha Sikri Dies: બાલિકાવધુના ‘દાદીસા’ સુરેખા સિકરીએ દુનિયાને કરી અલવિદા

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!