Proud of Gujarat
FeaturedGujaratINDIA

માંગરોળ તાલુકાના વાંકલ ખાતે તિરંગા રેલી યોજાઇ.

Share

હર ઘર તિરંગા હર મન તિરંગા “મેરા તિરંગા, મેરા સ્વાભિમાન” દેશના યશસ્વી પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારત “આઝાદી કા અમૃત મહોત્સવ” ની ઉજવણી કરી રહ્યું છે ત્યારે ૧૩ થી ૧૫ ઓગસ્ટ દરમિયાન આયોજિત “હર ઘર તિરંગા” અભિયાન અંતર્ગત આજરોજ ૧૫૬ માંગરોળ વિધાનસભાના, વાંકલ અને ઝંખવાવ ખાતે ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું.

ઝંખવાવ ખાતે સુરત જિલ્લા પંચાયતના દંડક દિનેશ સુરતીના અધ્યક્ષ સ્થાને રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલી વાંકલ એન ડી દેસાઈથી નીકળી વાંકલ બજાર ખાતે આવી હતી. મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ, વાલીઓ તેમજ જિલ્લા પંચાયતના સદસ્યો, તાલુકા પંચાયતના સદસ્યો તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનો હાજર રહ્યા હતા.

Advertisement

Share

Related posts

ચમારડી નજીક કાળુભાર નદીના નાળામા ટ્રક પલ્ટી મારી જતાં ડ્રાઈવરનું મોત નિપજ્યું.

ProudOfGujarat

ભરૂચ : કેન્દ્ર સરકાર દ્વારા લાવવામાં આવેલ ત્રણ કૃષિ બિલ રદ કરવા અંગે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ દ્વારા આવેદનપત્ર પાઠવાયું.

ProudOfGujarat

અંકલેશ્વર જીઆઇડીસી માંથી અપહરણ કરનારને ગણતરીની કલાકોમાં જેલ હવાલે કરતી પોલીસ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!