Proud of Gujarat
FeaturedGujaratINDIA

માંગરોળ તાલુકાના વાંકલ ખાતે તિરંગા રેલી યોજાઇ.

Share

હર ઘર તિરંગા હર મન તિરંગા “મેરા તિરંગા, મેરા સ્વાભિમાન” દેશના યશસ્વી પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારત “આઝાદી કા અમૃત મહોત્સવ” ની ઉજવણી કરી રહ્યું છે ત્યારે ૧૩ થી ૧૫ ઓગસ્ટ દરમિયાન આયોજિત “હર ઘર તિરંગા” અભિયાન અંતર્ગત આજરોજ ૧૫૬ માંગરોળ વિધાનસભાના, વાંકલ અને ઝંખવાવ ખાતે ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું.

ઝંખવાવ ખાતે સુરત જિલ્લા પંચાયતના દંડક દિનેશ સુરતીના અધ્યક્ષ સ્થાને રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલી વાંકલ એન ડી દેસાઈથી નીકળી વાંકલ બજાર ખાતે આવી હતી. મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ, વાલીઓ તેમજ જિલ્લા પંચાયતના સદસ્યો, તાલુકા પંચાયતના સદસ્યો તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનો હાજર રહ્યા હતા.

Advertisement

Share

Related posts

ઘોડો લઇ આવેલ સાળા બનેવીની લાશો કુવા માંથી મળી.કેમ જાણો વધુ…

ProudOfGujarat

નડિયાદ : મોડાસા કપડવંજ રોડ પર ટ્રક અને ઇકો કાર વચ્ચે અકસ્માત સર્જાયો.

ProudOfGujarat

નેત્રંગ તા.પંચાયતમાં વૃક્ષારોપણ કરાયું, ટીડીઓ અલ્પના નાયર તા.પંચાયતના સત્તાધીશોએ વૃક્ષો જતન કરવાના સંકલ્પો કર્યો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!