Proud of Gujarat
FeaturedGujaratINDIA

રાજપીપળામાં આવેલ આશાપુરી મંદિરના વિસ્તારમાં સરકારી નળમાંથી સાપનો કણ નીકળતાં લોકોમાં રોષ

Share

નર્મદા જિલ્લાના વડા મથક રાજપીપળામાં નગરપાલિકા દ્વારા અનેક વિકાસનાં કામો થયા છે પરંતુ વર્ષો જૂની રાજા રજવાડા સમયની પીવાના પાણીની લાઈનો કંડમ હોવાથી અનેકવાર કેટલાક વિસ્તારોમાં પાણી ખરાબ આવતું હોવાની કે અન્ય જીવ જંતુઓ નિકળતાં હોવાની ઘટના સામે આવે છે જેમાં સ્થાનિકોનાં સ્વાસ્થ્ય બાબતે સવાલ ઉઠે છે ત્યારે હાલમાં પણ આશાપુરી વિસ્તારમાં આવી ઘટના સામે આવી છે.

આશાપુરી વિસ્તારમાંથી મળતી વિગતો મુજબ રક્ષાબંધનનાં દિવસે આશાપુરી મંદિરની બાજુમાં આવેલા સરકારી નળમાંથી સ્થાનિક રહીશ પીવાનું પાણી ભરતા હતા એ દરમિયાન નળમાંથી સાપનો મોટો કણ ટબમાં પડતા આ વ્યક્તિ ચોંકી ઉઠ્યા હતા ત્યારે આ બાબતની જાણ અન્ય લોકોમાં થતા લોકટોળા એકઠા થયા હતા. સ્થાનિકોનું કહેવું છે કે આખા રાજપીપળામાં જૂની લાઇનો છે જે લોખંડની પાઇપો હોવાથી સડી ગયેલ હોય તેમ કાણા પડતા જમીનમાંથી જીવ જંતુઓ પાઇપ દ્વારા પાણીના નળમાં આવતા હોય છે જેથી લોકોના સ્વાસ્થ્ય પર અસર પડે છે માટે વર્ષોથી ખોરંભે પડેલ ફિલ્ટર પાણીનો પ્લાન્ટ વહેલીતકે શરૂ થાય તેવી માંગ છે.

Advertisement

Share

Related posts

અંકલેશ્વર શહેરનાં ચૌટા બજારમાં આવેલ મોદી સમાજની વાડી પાસેથી રોયલ બુલેટની ચોરી થતા પોલીસે ગુનો નોંધી સીસીટીવી ફુટેજનાં આધારે બાઈક ચોરને ઝડપી પાડવાની કવાયત હાથ ધરી.

ProudOfGujarat

ભરૂચ:માં રેવા ને રણ બનતી બચાવો અભિયાયનના ભાગરૂપે શુકલતીર્થના પવિત્રધામે જાગૃત નાગરિકોની બેઠક મળી હતી.

ProudOfGujarat

સુરેન્દ્રનગર જિલ્લાના થાનના જામવાડી ગામે આવેલા શિવમંદિરમાં ગુપ્તધન મેળવવાની લાલચમાં તોડફોડ કરનાર પાંચ શખ્સો ઝડપાઈ ગયા છે.1200 વર્ષ કરતા વધુ પૌરાણિક શિવમંદિરમાં નંદી અને શિવલિંગ નીચે ગુપ્ત ધન હોવાની આશંકાએ ખોદકામ કર્યું હતુ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!