Proud of Gujarat
FeaturedGujaratINDIA

રાજપીપળામાં આવેલ આશાપુરી મંદિરના વિસ્તારમાં સરકારી નળમાંથી સાપનો કણ નીકળતાં લોકોમાં રોષ

Share

નર્મદા જિલ્લાના વડા મથક રાજપીપળામાં નગરપાલિકા દ્વારા અનેક વિકાસનાં કામો થયા છે પરંતુ વર્ષો જૂની રાજા રજવાડા સમયની પીવાના પાણીની લાઈનો કંડમ હોવાથી અનેકવાર કેટલાક વિસ્તારોમાં પાણી ખરાબ આવતું હોવાની કે અન્ય જીવ જંતુઓ નિકળતાં હોવાની ઘટના સામે આવે છે જેમાં સ્થાનિકોનાં સ્વાસ્થ્ય બાબતે સવાલ ઉઠે છે ત્યારે હાલમાં પણ આશાપુરી વિસ્તારમાં આવી ઘટના સામે આવી છે.

આશાપુરી વિસ્તારમાંથી મળતી વિગતો મુજબ રક્ષાબંધનનાં દિવસે આશાપુરી મંદિરની બાજુમાં આવેલા સરકારી નળમાંથી સ્થાનિક રહીશ પીવાનું પાણી ભરતા હતા એ દરમિયાન નળમાંથી સાપનો મોટો કણ ટબમાં પડતા આ વ્યક્તિ ચોંકી ઉઠ્યા હતા ત્યારે આ બાબતની જાણ અન્ય લોકોમાં થતા લોકટોળા એકઠા થયા હતા. સ્થાનિકોનું કહેવું છે કે આખા રાજપીપળામાં જૂની લાઇનો છે જે લોખંડની પાઇપો હોવાથી સડી ગયેલ હોય તેમ કાણા પડતા જમીનમાંથી જીવ જંતુઓ પાઇપ દ્વારા પાણીના નળમાં આવતા હોય છે જેથી લોકોના સ્વાસ્થ્ય પર અસર પડે છે માટે વર્ષોથી ખોરંભે પડેલ ફિલ્ટર પાણીનો પ્લાન્ટ વહેલીતકે શરૂ થાય તેવી માંગ છે.

Advertisement

Share

Related posts

ગુજરાત રાજ્ય સરકાર દ્વારા મહાત્મા ગાંધીજી ની ૧૫૦મી પુણ્યતિથિ ઉજવણી કરી રહી છે ત્યારે: ગોધરા શહેરમાં આવેલ ગાંધી આશ્રમ વિકાસ ઝંખે છે?

ProudOfGujarat

નર્મદા જિલ્લાના અંતરિયાળ ગામો માટે આશીર્વાદ સમાન 108 ની કામગીરી.

ProudOfGujarat

ભરૂચમાંથી પસાર થતી કરજણની નર્મદા માઇનોર કેનાલમાં ઝાડી ઝાખરા સાફ નહીં કરવા અને સફાઈ નહીં કરતાં કાચી નહેર લીકેજ થતાં ખેતરોમાં પાણી ભરાતાં ખેડૂતોનાં ઊભા પાકને નુકસાન થઈ રહ્યું છે.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!