Proud of Gujarat
FeaturedGujaratINDIA

વડોદરામાં ઘરમાં વન્યજીવો રાખનાર સામે હવે આખરી કાર્યવાહી, 3 સ્થળ પરથી 11 પોપટનું રેસ્ક્યૂ

Share

કેન્દ્ર સરકારે તમામ વન્ય જીવોને શિડ્યુલ 1 અને 2માં સમાવેશ કરતાં વન વિભાગ હરકતમાં આવ્યું છે. મંગળવારે શહેરના વિવિધ વિસ્તારમાં સામાજિક સંસ્થા જીએસપીસીએના રમેશ આઈસની સાથે તપાસ હાથ ધરીને 11 પોપટને રેસ્ક્યૂ કરવામાં આવ્યા હતા.

આ અંગે રમેશભાઈએ કહ્યું કે, છાણી, રાવપુરા અને બાપોદમાંથી પોપટ મળ્યા હતા. પોતાના શોખ માટે ઘરમાં પોપટ પીંજરામાં રાખનાર લોકોને નવા કાયદાની સમજ અપાઈ હતી. છાણી ગુરુદ્વારા પાસે 3 ઘરમાંથી પોપટ મળી આવ્યા હતા. નવા કાયદા મુજબ દંડ અને જેલની સજાની જોગવાઈ છે ત્યારે આ કાયદાથી અજાણ લોકો સ્વૈચ્છિક રીતે પોપટ વન વિભાગને આપે છે અને લેખિતમાં બાંહેધરી આપે છે. જેથી તેમની સામે ગુનો નોંધાયો નથી 10 દિવસ સુધી આ અભિયાન ચાલુ રહેશે.

Advertisement

Share

Related posts

અમદાવાદ : AMTS માં આવનારી 50 નવી ઈ-બસ બીઆરટીએસના ધારા ધોરણ મુજબ દોડાવાશે.

ProudOfGujarat

પાલેજ : વલણ હોસ્પિટલ ખાતે ડેન્ગ્યુ ના ૧૬ કેશ નોંધાતા ખરભરાત

ProudOfGujarat

નડિયાદના સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ ખાતે હર ઘર ધ્યાન – હર ઘર યોગ કાર્યક્રમ યોજાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!