Proud of Gujarat
FeaturedGujaratINDIA

નર્મદા જિલ્લાની તમામ સરકારી કચેરીઓ ખાતે અનઅધિકૃત વ્યક્તિઓના પ્રવેશ ઉપર પ્રતિબંધ ફરમાવતું જાહેરનામુ પ્રસિધ્ધ કરાયું

Share

નર્મદા જિલ્લાના કાર્યક્ષેત્ર વિસ્તારમાં આવેલ સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારીની કચેરી સહિત જિલ્લામાં આવેલ તમામ સરકારી કચેરીઓ ખાતે દૈનિક ધોરણે મોટા પ્રમાણમાં નાગરિકો પોતાના કામ અર્થે આવતા હોય છે. કેટલાક અનઅધિકૃત વ્યક્તિઓ કે તેમની ટોળી આવા નાગરિકો/અરજદારોને ગેરમાર્ગે દોરી, લલચાવી તેમજ વચેટિયા તરીકે કામ કરવાનો ઇરાદો ધરાવે છે. અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ સી.એ.ગાંધીએ આવા વ્યક્તિઓના પ્રવેશ ઉપર પ્રતિબંધ ફરમાવતું જાહેરનામુ પ્રસિદ્ધ કર્યું છે.

આવા કોઈપણ અનઅધિકૃત વ્યક્તિઓ કે ટોળી જિલ્લામાં આવેલ તમામ સરકારી કચેરીઓના મુખ્ય દરવાજાની આસપાસના ૧૦૦ મીટર ત્રિજ્યાના વિસ્તારમાં ઉભા રહેવા તથા કચેરીમાં પ્રવેશ કરી શકશે નહી. આ જાહેરનામાનો અમલ તા.૨૩ ઓક્ટોબર, ૨૦૨૩ સુધી કરવાનો રહેશે. આ જાહેરનામાનો ભંગ કરનાર શિક્ષાને પાત્ર થશે.

Advertisement

Share

Related posts

ભરૂચ : સંસ્કૃતિ સમાજ સેવા સંસ્થાન ટ્રસ્ટ દ્વારા ધોળીકુઇ વિસ્તારના બારીયા ફળિયામાં બાળકો સાથે દેવદિવાળીના પર્વ તથા ગુરુ નાનક દેવજીની જન્મ જયંતીની ઉજવણી.

ProudOfGujarat

ત્રીજા તબક્કામાં “કિશોરી ઉત્કર્ષ પહેલ” અંતર્ગત “ગ્રામ જાગૃત કિશોરીઓ” એ ભરૂચની વિવિધ સરકારી કચેરીઓની મુલાકાત લીધી

ProudOfGujarat

અંકલેશ્વર કોંગ્રેસ સમિતિ દ્વારા રાષ્ટ્રીય નેતા અહેમદ પટેલના જન્મ દિવસની ઉજવણી કરવામાં આવી હતી

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!