Proud of Gujarat
FeaturedGujaratINDIA

માંગરોળના ઝંખવાવ ગામે ધર્મ જાગરણ સમન્વય સમિતિ દ્વારા 170 ભજન મંડળીઓને ભજન કીર્તન કીટનું વિતરણ કરાયું

Share

માંગરોળ તાલુકાના ઝંખવાવ ગામે આવેલ હનુમાનજી મંદિર ખાતે સુરત જિલ્લા ધર્મ જાગરણ સમન્વય સમિતિ દ્વારા 170 ભજન મંડળીઓને ભજન કીર્તન માટેની કીટનુ રાહત દરે વિતરણ કરાયું હતું. જેમાં ઢોલક, મંજીરા, કરતાલ, ખંજરી જેવા સાધનો ભજન મંડળીઓને આપવામાં આવ્યા હતા.

આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ સનાતન ધર્મ લોકોને પરિચિત કરવા તેમજ આવનારી પેઢીને આપણી હિન્દુ સંસ્કૃતિ વિશે માહિતગાર કરવાનો હતો જેમાં માંગરોળ, ઉમરપાડા, ઓલપાડ, માંડવી, તરસાડી વગેરે તાલુકાઓની ભજન મંડળીના ભજનિકો હાજર રહ્યા હતા. આ કાર્યક્રમમાં સુરત જિલ્લા ધર્મ જાગરણ સમિતિ સંયોજક જીગ્નેશ પટેલ, જિલ્લા પરિ યોજના પ્રમુખ રાયસીંગભાઇ ચૌધરી, સુરત જિલ્લા સહ સંયોજક જગદીશભાઈ પટેલ માંગરોળ તાલુકા કાર્યવાહક ધર્મેશભાઈ વસાવા અરવિંદભાઈ વસાવા વગેરે વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

Advertisement

Share

Related posts

ભરૂચ : શિકાગો સુન્ની મુસ્લિમ કમિટી દ્વારા ખંભાતની એક ગરીબ મુસ્લિમ પરિવારની દીકરીને લગ્ન પ્રસંગમાં મદદરૂપ બની સેવાભાવી કાર્ય કર્યું…

ProudOfGujarat

ભરૂચ : આર.ટી.આઇ કાર્યકરોએ વિવિધ પડતર પ્રશ્નોને લઈ જિલ્લા કલેક્ટરને પાઠવ્યું આવેદનપત્ર.

ProudOfGujarat

નેત્રંગ તાલુકો બન્યાનાં પાંચ વર્ષ પછી પણ ૨૧ ગામો નેટવર્ક વિહોણા હોવાથી ૧૫,૦૦૦ થી વધુુ આદિવાસીઓમાં રોષ જણાઇ રહ્યો છે.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!