Proud of Gujarat
FeaturedGujaratINDIA

માંગરોળના ઝંખવાવ ગામે ધર્મ જાગરણ સમન્વય સમિતિ દ્વારા 170 ભજન મંડળીઓને ભજન કીર્તન કીટનું વિતરણ કરાયું

Share

માંગરોળ તાલુકાના ઝંખવાવ ગામે આવેલ હનુમાનજી મંદિર ખાતે સુરત જિલ્લા ધર્મ જાગરણ સમન્વય સમિતિ દ્વારા 170 ભજન મંડળીઓને ભજન કીર્તન માટેની કીટનુ રાહત દરે વિતરણ કરાયું હતું. જેમાં ઢોલક, મંજીરા, કરતાલ, ખંજરી જેવા સાધનો ભજન મંડળીઓને આપવામાં આવ્યા હતા.

આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ સનાતન ધર્મ લોકોને પરિચિત કરવા તેમજ આવનારી પેઢીને આપણી હિન્દુ સંસ્કૃતિ વિશે માહિતગાર કરવાનો હતો જેમાં માંગરોળ, ઉમરપાડા, ઓલપાડ, માંડવી, તરસાડી વગેરે તાલુકાઓની ભજન મંડળીના ભજનિકો હાજર રહ્યા હતા. આ કાર્યક્રમમાં સુરત જિલ્લા ધર્મ જાગરણ સમિતિ સંયોજક જીગ્નેશ પટેલ, જિલ્લા પરિ યોજના પ્રમુખ રાયસીંગભાઇ ચૌધરી, સુરત જિલ્લા સહ સંયોજક જગદીશભાઈ પટેલ માંગરોળ તાલુકા કાર્યવાહક ધર્મેશભાઈ વસાવા અરવિંદભાઈ વસાવા વગેરે વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

Advertisement

Share

Related posts

અંકલેશ્વર : ત્રણ રસ્તા સર્કલ પાસે બજરંગ દળ અને વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા પાકિસ્તાનના આતંકવાદ પુતળા દહનનો કાર્યક્રમ કરાયો.

ProudOfGujarat

ઢુંઢર દુષ્કર્મ કેસઃ પરપ્રાંતિય પરિવારોની અમદાવાદમાં કેન્ડલ માર્ચ,’અમારી દીકરીને ન્યાય આપો’ના પોસ્ટર લાગ્યા

ProudOfGujarat

વણાકપોર ગામે હોમ ક્વોરેન્ટાઇન કરાયેલા પાંચ પરિવારો પૈકી એક યુવકનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!