Proud of Gujarat
FeaturedGujaratINDIA

અગ્નિવીર ભરતી પૂર્વેની નિવાસી તાલીમ વર્ગ માટે પરીક્ષા યોજાઇ, ૧૩૦ યુવાનોએ લીધો ભાગ લીધો

Share

નવજીવન કોલેજ મેદાન ખાતે ગત બુધવારે જીલ્લા રોજગાર કચેરી દાહોદ દ્વારા અગ્નિવીર ભરતી પુર્વેની નિવાસી તાલીમ વર્ગ માટે અરજીઓની સ્ક્રુટીની કરવામા આવી હતી. જેમા અમદાવાદ ખાતે યોજાનાર લશ્કરી(અગ્નીવીર) ભરતી રેલીમાં ભાગ લેવા ઓનલાઈન ફોર્મ ભરેલા ઉમેદવારો ભરતીમા સારો દેખાવ કરી શકે તે માટે રોજગાર કચેરી દાહોદ દ્વારા સંભવીત તા.૧૨ સપ્ટેમ્બરથી ૩૦ દિવસ સુધી ૬૦ ઉમેદવારો માટે વિના મુલ્યે નિવાસી તાલીમ વર્ગ યોજાનાર છે.

આ ૨૪૦ કલાકની તાલીમમા એકસ સર્વીસમેન દ્વારા ઉમેદવારોને શારીરિક તાલીમ અને તજજ્ઞ વકતા ફેકલ્ટી દ્વારા ગણીત, વિજ્ઞાન, સામાન્ય જ્ઞાન, કોમ્પ્યુટર અને અંગ્રેજી વિષયની થીયરી તાલીમ આપવામા આવશે. જેમા ઉમેદવારને રહેવા, જમવાની સુવિધા ફ્રી અપાશે તેમજ સાહીત્ય આપવામા આવશે. ૮૦ ટકાથી વધુ હાજરી ધરાવતા ઉમેદવારને દૈનિક ૧૦૦ રૂ. સ્ટાઈપન્ડ ચુકવાશે. તાલીમ વર્ગમા જોડાવા અરજી કરેલા ૧૩૦ જેટલા ઉમેદવારોએ પ્રીસ્ક્રુટીનીમા ભાગ લીધો હતો. જેમા ઉમેદવારોના ઉંચાઈ, વજન, છાતી તેમજ દોડ તપાસવામા આવી હતી.

Advertisement

પ્રીસ્ક્રુટીનીમા પાસ થયેલા ૭૦ જેટલા ઉમેદવારોના મેડીકલ કરાવીને સંભવીત તા ૧૨ સપ્ટેમ્બરથી બંને તાલીમ વર્ગમા ૬૦ ઉમેદવારોની નિવાસી તાલીમ શરુ કરવામા આવશે. તાલીમ વર્ગ માટે ઉમેદવારોની સ્ક્રુટીનીમા રોજગાર અધિકારી એ એલ ચૌહાણ, તેમજ કચેરીના સ્ટાફ અને એકસ સર્વીસમેન ઉપસ્થિત રહ્યા હતા.


Share

Related posts

માંગરોળ અને ઉમરપાડામાં વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરાઇ.

ProudOfGujarat

સ્વતંત્રતા પર્વ નિમિત્તે ઝઘડીયામાં કોરોના યોદ્ધાઓને સન્માનિત કરાયા.

ProudOfGujarat

માંગરોળનાં લુવારા ગામે દીપડાએ વાછરડીનું મારણ કર્યું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!