Proud of Gujarat
FeaturedGujaratINDIA

રાજકોટમાં ઘરની અંદર કેમિકલની બોટલ ફાટવાથી વિસ્ફોટ, કોઈ જાનહાનિ નહીં

Share

રાજકોટમાં બુધવારે મોડી રાત્રે એક મોટો દુર્ઘટના સર્જાઈ હતી. જિલ્લાના શાસ્ત્રીનગર વિસ્તારમાં એક મકાનની અંદર કેમિકલની બોટલો ફાટતાં મસમોટો વિસ્ફોટ થયો હતો. વિસ્ફોટ થતા વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. જોકે, ફાયર વિભાગને માહિતી મળતા ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને આગ પર કાબૂ મેળવ્યો હતો. આ આગની ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર નથી.

મળતી માહિતી મુજબ, બુધવારે મોડી રાત્રે રાજકોટના શાસ્ત્રીનગર વિસ્તારમાં એક મકાનની અંદર કેમિકલની બોટલો ફાટતાં ભયાવહ વિસ્ફોટ થયો હતો. આ ઘટનાથી વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. જોકે, સ્થાનિકો દ્વારા ફાયર વિભાગને જાણ કરાતા ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને સતત પાણીનો મારો ચલાવીને ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવી લીધો હતો. રાહતની વાત એ છે કે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી.

Advertisement

Share

Related posts

અંકલેશ્વરમાં મુસ્લિમ બિરાદરોએ મસ્જિદોમાં ઈદની નમાઝ અદા કરી ઈદની ઉજવણી કરી

ProudOfGujarat

ભરૂચ જિલ્લામાં ચૂંટણીલક્ષી જાગૃતતા અભિયાન પૂરજોશમાં- ચુનાવ કા પર્વ, દેશ કા ગર્વ

ProudOfGujarat

રાષ્ટ્રીય ધોરીમાર્ગ નંબર 48 પર કરજણનાં કંડારી ગામ નજીક આઇસર ટેમ્પોમાં આગ લાગતા અફરાતફરી મચી

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!